બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / Sikkim police constable fired in Delhi, shot at 3 comrades, 2 died on the spot
Hiralal
Last Updated: 05:15 PM, 18 July 2022
સાથી જવાનો પર જવાનના ગોળીબારની વધુ એક ઘટના બનતા નવો સવાલ ઊભો થયો છે. રાષ્ટ્રીય રાજધાનીના રોહિણી વિસ્તારમાં સિક્કિમ પોલીસના એક જવાને પોતાના જ ત્રણ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં 2 સાથીઓના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક સાથીને ગોળી વાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું.
A Sikkim Police personnel posted at a water plant in the Haiderpur area of Delhi shot 3 personnel, after which 2 were killed & one was injured: Delhi Police
— ANI (@ANI) July 18, 2022
એકબીજા ઝગડ્યા, જવાને 3 સાથીઓ પર છોડી ગોળી
રોહિણી વિસ્તારમાં તહેનાત સિક્કીમ પોલીસના ચાર જવાનો વચ્ચે કોઈ કારણસર માથાકૂટ થઈ હતી તેને કારણે એક જવાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી બંદૂકથી સાથીઓ પર ગોળીઓ છોડી હતી અને તેમાં 3 સાથીઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે રોહિણી વિસ્તારમાં માહોલ ગરમ થઈ ગયો હતો અને લોકોમાં ડર ફેલાયો હતો. પોલીસે તાબડતોબ આરોપી જવાનની ધરપકડ કરી લીધી હતી.
ઉધમપુરમાં જવાને 3 સાથીઓ પર કર્યો ગોળીબાર, પછી જાતને ગોળી મારી
જવાનના પોતાના સાથીઓ પર ફાયરિંગની ઘટના જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં પણ જોવા મળી હતી, જ્યાં એક કેમ્પ પર ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના એક જવાને શનિવારે તેના ત્રણ સાથીઓને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા અને બાદમાં તેમને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના દેવિકા ઘાટ સમુદાય કેન્દ્રમાં બપોરે 2.30 વાગ્યે બની હતી. આઇટીબીપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહે તેના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ