બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:24 PM, 17 September 2023
કબજિયાત એ સૌથી સળગતી સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને લઈ દર્દીઓ મોતને ભેટતા હોય તેવા ભાગ્યે જ કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઈને લોકો તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ સમય જતા આ રોગ અનેક સમસ્યાનું ઘર બની શકે છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કબજિયાતને પગલે એક આધેડનું મોત નીપજ્યું હોવાથી અરેરાટી મચી છે.
દર્દી ભોગવતો હતો હાર્ટની બીમારી
'ધ સન'માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ વાત કરીએ તો 65 વર્ષીય એક વ્યક્તિ 10 દિવસથી કબજિયાતથી પીડાઈ રહ્યો હતો. જેને લઇને છાતીમાં દુખાવો, એસિડિટી અને ઉબકાની ફરિયાદે તેને ઘેરી લીધો હતો. બાદમાં તેને તબીબ પાસે જવાની નોબત આવી હતી. આ દરમિયાન ડોક્ટરની તપાસમાં સામે આવ્યું કે પરસેવાથી લથબથ આ દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી હતા અને તે અગાઉથી જ હાર્ટની બીમારી ભોગવતો હતો.હાર્ટની બીમારીને ધ્યાને લઇ તબીબે સામાન્ય દવા આપી હતી. જોકે આ દવા સહેજે પણ અસરકારક નિવડી ન હતી.
મળ ત્યાગતી વેળાએ આવ્યો એટેક
સારવારની કોઈ અસર ન જોઈને બાદમાં ડૉક્ટરે દવા વધારી અને ચાલવાની સલાહ આપી હતી. સાથે જ દર્દી રેક્ટલ એનિમા પર જોર દેતા દર્દીનું એટલી હદે મળ નીકળવા લાગ્યું કે આ વેળાએ તેને હાર્ટ એટેક આવી ગયો હતો. બાદમાં તબીબની અડધી કલાકની જહેમત બાદ પણ વ્યક્તિએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh