બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / shikhar dhawan statement on divorce ayesha mukherjee

સ્પોર્ટ્સ / છૂટાછેડાને લઈને પહેલીવાર શિખર ધવને તોડ્યું મૌન, ફરી લગ્ન કરવા મુદ્દે પણ કહી દિલની વાત

Bijal Vyas

Last Updated: 05:47 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિખર ધવન ગયાવર્ષે બાંગ્લાદેશના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેવામાં તે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ફરીથી પાછો ફરવા માંગશે

  • હાલ શિખર આયશા વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે
  • શિખર ધવન કહે છે, 'લગ્ન મારા માટે બાઉન્સર હતું અને મેં તેને મારા માથા પર ઉઠાવ્યું.
  • ધવનના ઘરે વર્ષ 2014માં જોરાવરનો જન્મ થયો હતો 

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનમાં પંજાબ કિગ્સનો કેપ્ટન બનવા જઇ રહ્યો છે. શિખર ધવન ગયાવર્ષે બાંગ્લાદેશના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેવામાં તે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ફરીથી પાછા ફરવા માંગશે. 

આ દરમિયાન શિખર ધવને પોતાના અંગત જીવનને લઇને વાત કરી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં શિખર ધવનના અંગત જીવનમાં ભૂંકપ આવ્યો હતો. જ્યારે તેમની વાઇફ આયશા મુખર્જીને લગભગ નવ વર્ષ જૂનો સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો. હાલ બંનેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ધવને કહ્યું કે, લગ્ન ટૂટવા માટે તે જવાબદાર છે અને લગ્ન કરતી વથતે તેમને પોતાના ફિલ્ડનો અંદાજ નહતો. 

શિખર ધવને કહ્યું કે, હું નિષ્ફળ થયો કારણ કે ક્યારેય કોઇ વ્યક્તિ નિર્ણય લે છે તો તેનો છેલ્લો નિર્ણય પણ તેનો જ હોય છે. હું બીજા પર આંગળી ચિંધવા માંગતો નથી. હું નિષ્ફળ એટલા માટે રહ્યો કારણ કે મને આ ફિલ્ડનો અંદાજ ન હતો. ક્રિકેટની જે વાચ આજે હું જે કરી રહ્યો છું તે 20 વર્ષ પહેલા તેના વિશે મને કઇ જ ખબર ના પડતી ન હતી. આ બધા અનુભવની વાત છે. પહેલા એક-બે વર્ષ માસણની સાથે વિતાવો જુઓ તે બંનેના સંસ્કાર મેચ થાય છે કે નહીં. 

જ્યારે મારે લગ્ન કરવા હશે ત્યારે...
શિખર ધવને કહ્યું કે, તે પણ એક મેચ જ હતી, હાલ મારા છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તેને ખતમ થયા બાદ જ્યારે મારે લગ્ન કરવા પડશે ત્યારે હું આ ફિલ્ડમાં હું વધારે સમજદાર બની જઇશ, મને કેવી રીતની પાર્ટનર જોઇએ, જેની સાથે હું જીવન નિભાવી શકું તો જ હું લગ્ન કરીશ. જ્યારે હું 26-27 વર્ષનો હતો અને મેચ રમતો આવી રહ્યો હતો. તે સમયે હું કોઇ રિલેશનશીપમાં નહતો, પણ હા મસ્તી કરતો હતો. જ્યારે હું પ્રેમમાં પડ્યો ત્યારે મે રેડ ફ્લેગ્સ જોઇ ના શક્યો. પરંતુ જો હવે હું પ્રેમમાં પડીશ તો રેડ ફ્લેગ્સને જોઇ શકીશ. જો રેડ ફ્લેગ્સ હશે તો તેની બહાર હું આવી જઇશ. 

લગ્ન બાદ મારા માટે બાઉન્સર હતી
શિખર ધવન કહે છે, 'લગ્ન મારા માટે બાઉન્સર હતું અને મેં તેને મારા માથા પર ઉઠાવ્યું. ત્યારે ચારેય બાજુ નારાજ થઈ ગઇ. હારવું પણ જરૂરી છે, પણ હાર સ્વીકારતા શીખો. મેં ભૂલ કરી છે અને માણસ ભૂલમાંથી જ શીખે છે. શિખર ધવને ઓક્ટોબર 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં જોરાવરનો જન્મ થયો. છૂટાછેડા પછી, જોરાવર હાલમાં તેની માતા સાથે મેલબોર્નમાં રહે છે. જોકે ધવન પોતાના પુત્રને મળવા મેલબોર્ન જતો રહે છે.

શિખર ધવવને ભલે આ વર્ષે કોઇ ઇન્ટરનેશનલ મેચ નથી રમી પરંતુ વનડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેવાની આશા હજી ઓછી થઇ નથી. જો આઇપીએલ 2023માં શિખર ધવને સારુ પર્ફોર્મ કર્યુ તો ફરી તેની વાપસી થઇ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ