બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Shankarsinh Vaghela offered his 2 College for Covid Center Gandhinagar
Shyam
Last Updated: 09:31 PM, 12 April 2021
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી સેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. પત્રમાં શંકરસિંહ તેમની સંસ્થાના 2 સ્થળોને કોવિડ સેવામાં આપવા રજૂઆત કરી છે. ગાંધીનગરના 2 સ્થળોને સેવામાં સામેલ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શંકરસિંહે કહ્યું, 2 ઈમારતોને કોવિડ કેર સેન્ટર બનાવી શકો છો. સાથે જ આર્થિક નબળા લોકોને ફાઉન્ડેશન મદદ કરશે તેવી પણ જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ હાઈકોર્ટની સુનાવણી બાદ જનતાને કરી અપીલ
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે અને તેમાં તેમણે કહ્યું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. CMએ હું દાવા સાથે કહીશ કે ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.
લગ્નમાં 50 લોકો જ ભેગા થઈ શકશેઃ સીએમ રૂપાણી
ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.
બેડ અને ટેસ્ટ બંને વધ્યા
સીએમ રૂપાણીએ કહ્યું કે અમદાવાદમાં બેડની સાથે ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં એક માત્ર શહેર એવું છે કે જ્યાં જાહેર ડોમ ઊભા કરીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે એક લાખ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બેડ પણ વધારવામાં આવ્યા છે, વિચારો કે આ બેડ વધાર્યા ન હોત તો લોકો જાત ક્યાં? સરકારે 15 જ દિવસમાં બેડની સંખ્યા વધારી છે અને આગામી દિવસોમાં પણ વધારવાના છે. સુરતમાં પણ ત્રણ હજાર બેડ વધારવામાં આવ્યા છે.
કોરોના મહામારીમાં શું છે અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાના તાપ વચ્ચે લોકો પાણીની પણ માગણી કરી રહ્યા છે.
અમદાવાદમાં કોરોના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. સિવિલ મેડિસિટીના 95 ટકા બેડ પર દર્દીઓ છે. મેડિસિટીમાં 2068 કોરોના બેડમાંથી 1965 બેડ પર દર્દી સારવાર લઈ રહ્યા છે. રાત્રે આવતા દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય રહી છે. અને લાંબી લાઈન લાગી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ