બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Shankaracharya Swamy's response to the statement of the RSS chief
Priyakant
Last Updated: 11:19 AM, 11 February 2023
RSS વડા મોહન ભાગવતે જાતિવાદને લઈ આપેલ નિવેદનને લઈ સતત વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન હવે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ મોહન ભાગવતના નિવેદન પર નિવેદન આપ્યું છે. RSSના વડા મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, મોહન ભાગવતની છબી પર લાગેલા દાગને દૂર કરવા માટે માફી માંગવી પૂરતી નથી.
શું કહ્યું સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ?
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, મોહન ભાગવતને મોડેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ જણાવવું જોઈએ કે, તેઓએ શું સંશોધન કર્યું. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, તેમણે ગીતામાં વાંચ્યું હતું કે ભગવાન કૃષ્ણએ પોતે કહ્યું હતું કે તેમણે ચાર વર્ણોની રચના કરી હતી. તેમણે કહ્યું કે, મોહન ભાગવત કહી રહ્યા છે કે, ભગવાને તેમને બનાવ્યા નથી. તેમણે પંડિતોએ બનાવ્યા છે. મોહન ભાગવત કહે છે કે, પંડિતનો અર્થ 'વિદ્વાન' છે, બ્રાહ્મણ નથી. તો પછી જો વિદ્વાનોએ કંઈક કહ્યું હોય તો તેની અવગણના કેમ કરવામાં આવે છે ?
ભાગવત માફી માંગે તો ?
આ તરફ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ભાગવતને આ નિવેદન માટે માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે. આના પર અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે તેનાથી કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તેમની પહેલેથી જ ઘણી ટીકા થઈ ચૂકી છે.
શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જાતિવાદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, આપણા સમાજના વિભાજનનો લાભ બીજાઓએ લીધો. આનો લાભ લઈને આપણા દેશમાં હુમલા થયા અને બહારના લોકોએ લાભ લીધો. શું દેશમાં હિન્દુ સમાજના વિનાશનો ભય છે ? કોઈ બ્રાહ્મણ તમને આ કહી શકે નહીં, તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. જ્યારે દરેક કામ સમાજ માટે હોય છે, તો પછી કેટલાક ઉંચા, કેટલાક નીચા કે કેટલાક અલગ કેવી રીતે બન્યા?
આ સાથે તેમણે કહ્યું હતું કે, ભગવાન હંમેશા કહે છે કે મારા માટે દરેક એક છે. તેમની વચ્ચે કોઈ જાતિ, વર્ણ નથી. પણ પંડિતોએ કેટેગરી બનાવી, તે ખોટું હતું. દેશમાં વિવેક અને ચેતના બધા એક છે. એમાં કોઈ ફરક નથી. ફક્ત મંતવ્યો અલગ છે. અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી. ધર્મ બદલાય તો છોડી દો. આ વાત બાબા સાહેબ આંબેડકરે કહી હતી. પરિસ્થિતિને કેવી રીતે બદલવી તે જણાવવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh