બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Shankaracharya of Tamil Nadu Math supports PM Modi
Kishor
Last Updated: 05:31 PM, 13 January 2024
સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે તામિલનાડુના કાંચીપુરમ સ્થિત કાંચી કામકોટિ મઠના શંકરાચાર્યએ એલાન કર્યું છે કે તેને પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીની યજ્ઞશાળાઓમાં 40 દિવસની વિશેષ પુજાનું આયોજન કરશે.
#WATCH | Shankaracharya of the Kanchi Kamakoti Mutt, Vijayendra Saraswati Swamigal says, "Due to the blessings of Lord Rama, the Ram Temple Pran Pratistha ceremony will take place on 22nd January in Ayodhya. The Yagyashala will also be worshipped during the ceremony…More than… pic.twitter.com/A6Zth6qAT2
— ANI (@ANI) January 12, 2024
40 દિવસ સુધી ચાલશે યજ્ઞ
વિપક્ષ તરફથી એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચારેય પીઠના શંકરાચાર્યએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ વચ્ચે કાંચી કામકોટિ મઠના શંકરાચાર્યએ મોટુ એલાન કર્યું છે. જાણકારી અનુસાર 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે આ યજ્ઞની શરૂઆત થશે જે આગામી 40 દિવસ સુધી ચાલશે.
શંકરાચાર્ય વિજયેન્દ્ર સારસ્વતે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠના દિવસે કાશી સ્થિત અમારી યજ્ઞાશાળામાં 40 દિવસ સુધી વિશેષ પુજા કરવામાં આવેશે. તેમને કહ્યું કે ભગવાન રામના આશિર્વાદથી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અમારા કાશી સ્થિત યજ્ઞશાળામાં આ અવસર પર 40 દિવસની વિશેષ પૂજા કરવામાં આવશે. જે રામ મંદિર કાર્યક્રમની સાથે જ શરૂ થશે. પૂજા વૈદિક વિદ્વાનોના માર્ગદર્શનમાં થશે. જેમાં લક્ષ્મીકાંત દિક્ષીત પણ સામેલ છે. 100થી વધુ પુજારી આ દરમિયાન પૂજા અને હવન કરશે.
પીએમ મોદીના કર્યા વખાણ
આ દરમિયાન શંકરાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદી દેશભરના તીર્થ સ્થળો અને પરિસરોના વિકાસ પર ખુબ જ ભાર આપી રહ્યાં છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોમાં વિકાસ અને વિસ્તાર થયો છે.
વધુ વાંચો: ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિરમાં કરી રહ્યાં છે દાન, જાણો ડોનેશનની પ્રોસેસ
શું છે કાંચી કામકોટિ પીઠ?
અત્યાર સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે 4 આદિ પીઠ અને ચાર શંકરાચાર્ય વિશે વાત કરવામાં આવી રહી હતી. પણ હવે એક નવા શંકરાચાર્યનું નામ સામે આવ્યું છે. જેને લઈને ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે.. આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મના પ્રસાર માટે દેશની ચાર દિશાઓમાં ચાર પીઠની સ્થાપના કરી હતી. જેના પ્રમુખને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ ચાર પ્રમુખ દ્વારકા, જ્યોતિષ, ગોવર્ધન અને શ્રૃંગેરી પીઠ છે. પરંતુ તામિલનાડુના કાંચિ કામકોટિ પીઠ પણ મહાપીઠનો દાવો કરી રહી છે અને અહિંયાના શંકરાચાર્ય ખુદને અન્ય ચાર શંકરાચાર્યની જેમ માને છે. જો કે પ્રમુખ ચાર પીઠના શંકરાચાર્ય તેને શંકરાચાર્ય માનતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh