બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / Shahbaz Nadeem eager to make a comeback in Team India announces retirement, takes 542 wickets in domestic cricket
Pravin Joshi
Last Updated: 07:02 PM, 5 March 2024
ભારતીય ટીમમાં પુનરાગમન કરવા આતુર સ્પિન બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નદીમે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. સ્થાનિક ક્રિકેટમાં નદીમનું પ્રદર્શન શાનદાર હતું અને તેણે 542 વિકેટ ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા બાદ નદીમ હવે વિદેશી T20 લીગમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. શાહબાઝ નદીમે વર્ષ 2019 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નદીમને ટીમ ઈન્ડિયા માટે માત્ર બે ટેસ્ટ મેચમાં પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો, જેમાં તેણે કુલ 8 વિકેટ ઝડપી. નદીમ વર્ષ 2021થી ભારતીય ટીમની બહાર હતો. સ્થાનિક ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં નદીમ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.
સ્થાનિક ક્રિકેટમાં નદીમનો રેકોર્ડ શાનદાર હતો
ઘરેલુ ક્રિકેટમાં શાહબાઝ નદીમનો રેકોર્ડ શાનદાર હતો. તેણે 140 મેચમાં કુલ 542 વિકેટ લીધી હતી. નદીમે ઘરેલુ ક્રિકેટમાં કુલ 28 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જ નદીમે એક ઇનિંગમાં સાત વખત 10 વિકેટ પણ લીધી હતી.
આઈપીએલની હરાજીમાં ખરીદનાર મળ્યો ન હતો
દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમો માટે રમી ચૂકેલા નદીમને આઈપીએલ 2024 માટે યોજાયેલી હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. આ વખતની હરાજીમાં ભારતીય સ્પિનર અનસોલ્ડ રહ્યો હતો. નદીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 72 મેચમાં 48 વિકેટ લીધી હતી.
વધુ વાંચો : ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચની વડોદરાથી ધરપકડ, ઘરમાંથી જપ્ત કરાયા 1 કરોડ, મની લોન્ડરિંગની આશંકા
વિદેશી લીગમાં હલચલ મચાવશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નદીમનું કહેવું છે કે તે યુવા ક્રિકેટરોને તક આપવા માંગે છે. આ સાથે તેણે કહ્યું કે હવે તે વિદેશી ટી-20 લીગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. નદીમે તેની છેલ્લી મેચ રણજી ટ્રોફી 2024માં રાજસ્થાન સામે રમી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh