બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:20 PM, 22 January 2024
સરકાર દેશના વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ યોજના ચલાવી રહી છે. જેમાં સિનિયર સિટીઝનને તેમના રોકાણ પર 8.2 ટકાનું વ્યાજ મળે છે. કેન્દ્ર સરકારે આ ક્વાર્ટર માટે એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2024 માટે આ યોજનાના વ્યાજમાં કોઈ ઘટાડો કર્યો નથી. આજે અમે તમને સરકારની આ ખાસ યોજના જે સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે શરૂ કરવામાં આવી છે, તેની વાત કરીશું. આ યોજનાની મજજથી તમે ટેક્સ પણ બચાવી શકો છો અને સારું રિટર્ન પણ મેળવી શકો છો.
ADVERTISEMENT
કોના માટે છે આ યોજના?
- સરકારની Senior Citizen Savings Scheme યોજનાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે, જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. એટલે કે આ યોજનાનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકો જ મેળવી શક્શે.
- આ ઉપરાંત જો તમારી ઉંમર 55 વર્ષ કરતા વધુ છે, જે સ્વૈચ્છિક રીરે નિવૃત્ત થયા છે, અથવા તો વિશેષ સ્વૈચ્છિક યોજના અંતર્ગત સેવાનિવૃત્ત થયા છે, તેવા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- જે નાગરિકોની ઉંમર 50 વર્ષ કરતા વધારે છે અને જેઓ સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે, પરંતુ નાગરિક સુરક્ષાનો ભાગ નથી અથવા તો એવા નાગરિકો જેઓ વહેલા નિવૃત્ત થવા ઈચ્છે છે, પરંતુ SCSS ભથ્થાનો ઉપયોગ નથી કરી શક્તા, તેવા બધા જ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
કેટલી રકમનું રોકાણ કરશો?
- સરકારે 2023ના બજેટમાં Senior Citizen Savings Scheme ની મહત્તમ રોકાણ મર્યાદાને 30 લાખ રૂપિયા કરી છે.
- સાથે જ અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જો ખાતાધારક કોઈ કારણસર મૃત્યુ પામે છે, તો તેમના પતિ, પત્ની અથવા તો જે પણ નોમિની છે, તેઓ પોસ્ટ ઓફિસને અથવા તો બેન્કની શાખાને જાણ કરીને SCSS યોજનાનો લાભ મેળવી શકે છે.
વધુ વાંચો: Youtube પરથી ખેડૂતે અજમાવ્યો જોરદાર આઈડિયા: ઉગાડ્યું વિદેશી ફળ, હવે કરે છે લાખોમાં કમાણી
ADVERTISEMENT
કેટલા સમય માટે ખોલાવવું પડશે અકાઉન્ટ?
- સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અંતર્ગત પૈસા જમા કરવવાની સમય મર્યાદા 5 વર્ષ છે, જેને તમે બીજા 3 વર્ષ માટે લંબાવી પણ શકો છો.
- આગળ જણાવ્યું તે પ્રમામે સરકાર દર ત્રણ મહિને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજદર નક્કી કરે છે. પરંતુ ચાલુ કવાર્ટરમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
- આ સ્કીમમાં પૈસા રોકવા પર તમને 8.2 ટકા લેખે વ્યાજ મળે છે. આ વ્યાજ દરેક ત્રણ મહિને જમા થાય છે, જે ટેક્સેબલ છે.
- જો તમે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અંતર્ગત ખાતું ખોલવા ઈચ્ચો છો, તો તમે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. આ માટે તમારે જરૂરી KYC દસ્તાવેજ, તમારા ફોટોઝ અને નિવૃત્તિ અંગેના દસ્તાવેજ જમા કરાવવા પડશે.
- તમે આ સ્કીમમાં એક કરતા વધારે અકાઉન્ટ ખોલીને પણ રોકાણ કરી શકો છો. પરંતુ બધા જ અકાઉન્ટમાં થઈને રોકાણની રકમ 30 લાખ કરતા વધુ ન હોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.