બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 04:34 PM, 23 January 2024
ભારતના મોટા વૈજ્ઞાનિકોમાંના એક જગદીશચંદ્ર બોસે છોડવાઓ પણ વાતો કરતાં હોવાનું કહ્યું હતું. તેમની આ વાત સાચી નીકળી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પહેલી વાર બે છોડવાઓ વચ્ચેની વાતો રેકોર્ડ કરી છે જેમાં એક છોડ કેમિકલ રિએક્શન છોડીને બીજા છોડ સાથે વાતો કરતો જોવા મળ્યો હતો. જાપાનના વૈજ્ઞાનિકોની ટીમે એક અવિશ્વસનીય શોધ કરી છે, જેમાં છોડ એકબીજા સાથે "વાત" કરતા હોય તેવા વાસ્તવિક સમયના ફૂટેજ કબજે કર્યા છે. સાયન્સ એલર્ટના જણાવ્યા અનુસાર, છોડ હવાજન્ય સંયોજનોના સૂક્ષ્મ ધુમ્મસથી ઘેરાયેલા હોય છે, જેનો તેઓ સંદેશાવ્યવહાર કરવા માટે ઉપયોગ કરે છે. આ સંયોજનો ગંધ જેવા હોય છે અને છોડને નજીકના જોખમની ચેતવણી આપે છે. જાપાની વૈજ્ઞાનિકો મારફતે રેકોર્ડ કરવામાં આવેલા વિડિઓમાં જાહેર કરવામાં આવ્યું છે કે છોડ આ હવાઈ એલાર્મ્સને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને તેનો પ્રતિસાદ આપે છે.
If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti
— HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024
છોડવાઓ વચ્ચેની વાતચીતને કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી
છોડવાઓ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાનિકોએ પાંદડા અને કેટરપિલરના પાત્ર સાથે જોડાયેલા એર પંપનો ઉપયોગ કર્યો હતો, અને અન્ય એક બોક્સનો ઉપયોગ કર્યો હતો જેમાં એક પ્રકારનું ઘાસ હતું. કેટરપિલર્સ (ઈયળો) ને ટામેટાના છોડવાઓમાંથી કાપવામાં આવેલા પાંદડાઓ ખાવા દેવામાં આવ્યાં હતા અને વૈજ્ઞાનિકોએ તેમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી હતી. લીલા પાંદડાને ચમકાવનાર બાયોસેન્સર ડિટેક્ટ કરવામાં આવ્યાં હતા. કેલ્શિયમ સિંગ્નલિંગ માનવ કોષો જેવી વસ્તુ છે, જે પણ વાતચીત કરવા ઉપયોગ કરે છે.
જગદીશચંદ્ર બોસની વાત સાચી પડી
ભારતના મોટા વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોસની વાત સાચી પડી હતી. બોસે તેમના જીવનકાળ દરમિયાન કરેલા સંશોધન પરથી એવું કહ્યું હતું કે છોડવાઓમાં પણ પ્રાણ હોય છે અને તેઓ પણ એકબીજા સાથે સાંકેતિક ભાષામાં વાત કરતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh