બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vishal Khamar
Last Updated: 11:35 AM, 27 January 2024
વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 18 લોકો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે. તેમજ શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે
આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે. તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે. તેમજ પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે. પણ જે પ્રવાસ ખેડવામાં આવે છે. તેમાં શું શરતો છે.
વધુ વાંચોઃ બોર્ડના વિદ્યાર્થીઓમાંથી એક્ઝામનો હાઉ દૂર કરવા અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ, કરાયું વિશેષ આયોજન
સૂચનાનું પાલન ન થતા શાળાની મંજૂરી થઈ શકે રદ
લોકલ પ્રવાસ દરમ્યાન પણ મંજૂરી લેવી જરૂરી હોય છે. કોઈ પણ પ્રવાસની મંજૂરી જીલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ. તેમજ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી છે. પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે. પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે. તો સૂચના પ્રમાણે કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહી ખેડી શકે. જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે. સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir