બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 03:04 PM, 13 March 2024
Haryana Political News : હરિયાણામાં ભાજપ સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરી છે. હરિયાણાના નવનિયુક્ત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ધ્વનિ મત દ્વારા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. વિધાનસભા સત્રને સંબોધતા CM નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી. હું માત્ર ભાજપનો કાર્યકર છું અને આજે મને આટલી મોટી તક આપવામાં આવી છે. ભાજપ જેવી પાર્ટીમાં જ આ શક્ય છે.
#WATCH | CM Nayab Singh Saini-led Haryana Government wins the Floor Test in the State Assembly. pic.twitter.com/0D78XmtbqQ
— ANI (@ANI) March 13, 2024
હરિયાણાના નવનિયુક્ત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, હું ગૃહને ખાતરી આપું છું કે મનોહર લાલજીએ રાજ્યમાં વિકાસ કાર્યોને આગળ વધાર્યા છે. અમે ભવિષ્યમાં પણ આ જ ગતિએ વિકાસના કામો વધારવા માટે કામ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં પણ થઈ રહેલા કામોને કારણે ભારત સમગ્ર વિશ્વમાં નંબર વન બની ગયું છે. હરિયાણામાં યુવાનોને કોઈપણ કાપલી વગર અને કોઈપણ ખર્ચ વિના નોકરી આપવામાં આવી રહી છે. 2014 પહેલા જે સરકાર હતી તે લોકોમાં દેખાતી ન હતી. મતદાન કરતી વખતે લોકોને જાણ કરવી પડતી હતી, પરંતુ આજે સરકાર દરેક શેરી અને ગામડામાં પહોંચી ગઈ છે.
CM Nayab Singh Saini-led Haryana Government wins the Floor Test in the State Assembly. pic.twitter.com/VTpNYqzQ61
— ANI (@ANI) March 13, 2024
નોંધનીય છે કે, આ પહેલા JJPના તમામ પાંચ ધારાસભ્યો વ્હીપને ફગાવીને વિધાનસભા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ ધારાસભ્યો બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. JJPએ તેના તમામ ધારાસભ્યોને વિધાનસભામાં ન આવવાની સૂચના આપી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) એ બળવાખોર ધારાસભ્યોને રોકવા માટે આ કવાયત કરી હતી. ત્રણ લીટીનો વ્હીપ જારી કરવામાં આવ્યો હતો.
હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે. ભાજપ પાસે 48 ધારાસભ્યોનું સમર્થન છે. તેમાંથી ભાજપ પાસે 41 ધારાસભ્યો, ભાજપ સાથે 6 અપક્ષ અને 1 હરિયાણા લોકહિત પાર્ટી (ગોપાલ કાંડા) ધારાસભ્ય છે.90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે.
#WATCH | Haryana: CM Nayab Singh Saini addresses the assembly session.
— ANI (@ANI) March 13, 2024
He says, "I come from a humble family background, no one is in politics in my family. I am just a party worker of the BJP and today I have been given such a big opportunity. I must say that this can be only… pic.twitter.com/Pz8aDCAEY9
જાણો કેમ નાયબ સૈની સરકારે બહુમતી સાબિત કરવી પડી ?
વાસ્તવમાં નવી સરકારની રચના બાદ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. વિશેષ સત્રમાં મુખ્યમંત્રી નાયબ સૈની સરકારની બહુમતી સાબિત કરવી પડી. આંકડાઓની દ્રષ્ટિએ નાયબ સરકાર પાસે બહુમતીથી ઉપરના આંકડા હતા. ભાજપ સરકારને 48 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતી માટે જરૂરી આંકડો 46 છે. ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. CM નાયબ સૈનીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ, તમામ પાંચ કેબિનેટ મંત્રીઓ અને તમામ ધારાસભ્યો હાજર હતા.
વિશ્વાસ મત જીતવા માટે માત્ર 39 મતની જરૂર હતી
ગૃહમાં હાજર ધારાસભ્યોની સંખ્યા અનુસાર સરકારને વિશ્વાસ મત જીતવા માટે માત્ર 39 મતોની જરૂર હતી. JJPના 10 ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો. એવું કહેવામાં આવ્યું છે કે, પાંચ ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રહેશે પરંતુ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. હિસાર રેલીમાં JJPના પાંચ ધારાસભ્યો દુષ્યંત ચૌટાલાની સાથે હશે. કોંગ્રેસના કિરણ ચૌધરી, અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ, આઈએનએલડી અભય ચૌટાલા ગૃહમાં હાજર ન હતા. હાલમાં ગૃહમાં કુલ 77 ધારાસભ્યો હાજર હતા. તેથી વિશ્વાસ મત જીતવા માટે ભાજપને 39 ધારાસભ્યોની જરૂર હતી. ગૃહમાં ભાજપના 41, 6 અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના 1 ધારાસભ્ય, ગોપાલ કાંડા પણ ગૃહમાં હાજર હતા.
ગઇકાલે લીધા હતા CM પદના શપથ
હરિયાણામાં મંગળવારે મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ ગઇકાલે નાયબ સિંહ સૈનીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નાયબ સિંહ સૈની ઉપરાંત ભાજપના ચાર ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના કંવર પાલ ઉપરાંત મૂળચંદ શર્મા, જય પ્રકાશ દલાલ, બનવારી લાલ અને અપક્ષ ધારાસભ્ય રણજીત સિંહ ચૌટાલાએ મંત્રી તરીકે શપથ લીધા. આ પાંચેય મનોહર લાલ ખટ્ટર કેબિનેટમાં મંત્રી પણ હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh