બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 10:44 AM, 16 September 2023
એશિયા કપ 2023ના ફાઈનલ પહેલા ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. એશિયા કપમાં બાંગ્લાદેશે 2012 પછી ભારતને હરાવ્યું છે. ભારતીય ટીમ પહેલેથી ફાઈનલમાં પહોંચી ગઈ હતી, આ કારણોસર કેપ્ટન રોહિત શર્માએ આ મેચ માટે અડધી ટીમ બદલી દીધી હતી. ટીમમાં આ ફેરફાર કરવાને કારણે ભારતે ફાઈનલ પહેલા હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા આ હારના કારણે ખૂબ જ ઉદાસ નહોતા, પરંતુ તેમણે કહ્યું કે, જે રીતે રમવા માંગતા હતા, તે રમી શક્યા નથી.
#TeamIndia put up a solid fight as the things went right down to the wire but it was Bangladesh who won the match.
— BCCI (@BCCI) September 15, 2023
Scorecard ▶️ https://t.co/OHhiRDZM6W#AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/qy6Z4fbmiC
રોહિત શર્માએ મેચ પછી જણાવ્યું કે, ‘અમે કેટલાક ખેલાડીઓને ગેમ ટાઈમ આપવા માંગતા હતા. અમે જે પ્રકારે રમવા માંગતા હતા, તે પ્રકારે રમી શક્યા નથી. આ મેચમાં કેટલાક એવા ખેલાડીઓને મોકો આપ્યો, જે વર્લ્ડ કપમાં રમી શકે છે.’
ગિલ શાનદાર બેટીંગ કરે છે: રોહિત
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે, ‘અક્ષરે શાનદાર બેટીંગ કરી, પરંતુ મેચ ફિનિશ કરી શક્યા નહીં. જેનો શ્રેય બાંગ્લાદેશી બોલરને આપવો જોઈએ. ગિલની સદી ભૂલવી ના જોઈએ. તેઓ પોતાના ગેમનું સમર્થન કરે છે, તેમને ખબર છે કે કેવી રીતે રમવું છે. તેઓ ટીમ માટે શું કરવા માંગે છે, તે બાબતે તેમના વિચાર એકદમ સ્પષ્ટ છે. છેલ્લા એક વર્ષથી તેમનું ફોર્મ જબરદસ્ત છે અને શાનદાર બેટીંગ કરે છે. તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમના માટે વૈકલ્પિક પ્રેક્ટીસ જેવું કંઈ જ નથી.’
બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ પર 265 રન કર્યા હતા. કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં શુભમન ગિલ અને અક્ષર પટેલ સિવાય કોઈપણ વધુ સ્કોર કર્યું નથી. શુભમન ગિલે 121 અને અક્ષરે 42 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમ 49.5 ઓવરમાં માત્ર 259 રન કરી શકી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh