બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit agreed to make Hardik Pandya MI captain? Know why, team official's big reveal

ક્રિકેટ / હાર્દિક પંડ્યાને MIનો કેપ્ટન બનાવવા રોહિત રાજી થયો હતો? જાણો કેમ, ટીમ અધિકારીનો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 03:54 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવવા માટે રોહિત શર્માને હા પાડી હતી તેવો ટીમના એક અધિકારીએ ખુલાસો કર્યો છે.

  • હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવતાં પહેલા રોહિતને પૂછાયું હતું
  • રોહિતની હા બાદ જ હાર્દિકને બનાવાયો હતો કેપ્ટન
  • મુંબઈ ઈન્ડીયન્સના અધિકારીએ કર્યો ખુલાસો 

રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બેસાડાયા બાદ ફેન્સ આઘાતમાં છે. મુંબઈ ઈન્ડીયન્સનો આ નિર્ણય ફેન્સને જરા પણ ગળે ઉતર્યો નથી પરંતુ હવે ટીમના એક મોટા અધિકારીએ ફેન્સનો ગુસ્સો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. 

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવતાં પહેલા રોહિતને પૂછાયું હતું

ટીમના એક મોટા અધિકારીએ ખુલાસો કરતાં કહ્યું કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવતાં પહેલા રોહિતને પૂછાયું હતું રોહિતની હા બાદ જ હાર્દિકને કેપ્ટન બનાવાયો હતો. 

રોહિત ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી 

મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનનો તાજ છીનવી લઈને હાર્દિક પંડ્યાને આપ્યો છે તેથી રોહિત નારાજ થઈને ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી છે. 
આવી સ્થિતિમાં હવે એ સવાલ ઊભો થવા લાગ્યો છે કે શું રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ મુંબઈની ટીમ છોડશે ? આ દરમિયાન કેટલાક ફેન્સ અને મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં જઈ શકે છે.

રોહિત વિશે ચેન્નઈ ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન
રોહિત વિશે ચાલી રહેલી તમામ ખબરો ફગાવી દેતાં ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને હરાજીની વચ્ચે જ કહ્યું હતુ કે, તેમની ટીમ રોહિતને લેવાના મૂડમાં નથી. આ તમામ અહેવાલો અફવા છે. સૈદ્ધાંતિક રીતે, અમે ખેલાડીઓનો ટ્રેડ કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેટ કરવા માટે ખેલાડીઓ નથી. અમે તેમનો સંપર્ક કર્યો નથી અને અમારો અમારો ઇરાદો નથી. 

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતાં પહેલા રોહિતની લેવાઈ હતી મંજૂરી 
સીઈઓ વિશ્વનાથને કહ્યું કે હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં ખુદ રોહિત પણ સામેલ હતો. એટલે બાકીનું બધું જ નકામું છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત થયા છે.

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ શું બોલ્યાં 
 મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માને લઈને ટીમ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર વાત કરી હતી. તેણે સ્વીકાર્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય મુશ્કેલ હતો. જયવર્ધનેએ સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતુ કે, તે યુવા ખેલાડીઓ સાથે આઇપીએલ પણ રમે છે. આઇપીએલ 2024માં મુંબઇ ઇન્ડિયન્સ એટલે કે એમઆઇની કેપ્ટનશિપ હવે ગુજરાત ટાઇટન્સમાંથી આવેલા હાર્દિક પંડ્યા કરવા જઈ રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પાંચ વખત આઈપીએલ જીતી ચૂક્યો છે, પરંતુ અચાનક જ તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 

મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન
ઉલ્લેખનીય છે કે 2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો છે. મુંબઈના આ નિર્ણયથી રોહિતના ચાહકો ખૂબ નિરાશ થયાં હતા અને રોહિત મુંબઈની આગેવાની લેવા હકદાર છે તેવી પણ ચાહકોની લાગણી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ