બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / Rohit agreed to make Hardik Pandya MI captain? Know why, team official's big reveal
Hiralal
Last Updated: 03:54 PM, 21 December 2023
રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બેસાડાયા બાદ ફેન્સ આઘાતમાં છે. મુંબઈ ઈન્ડીયન્સનો આ નિર્ણય ફેન્સને જરા પણ ગળે ઉતર્યો નથી પરંતુ હવે ટીમના એક મોટા અધિકારીએ ફેન્સનો ગુસ્સો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ધોનીની ટીમમાં રમશે રોહિત શર્મા? IPL પહેલા ચેન્નઈની ટીમે કર્યો મોટો ખુલાસો, કેપ્ટનશીપમાં નવું નીકળ્યું#RohitSharma #IPL2024 #ChennaiSuperKings #CSKhttps://t.co/9v3i8xnMdQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 21, 2023
હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવતાં પહેલા રોહિતને પૂછાયું હતું
ટીમના એક મોટા અધિકારીએ ખુલાસો કરતાં કહ્યું કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બનાવતાં પહેલા રોહિતને પૂછાયું હતું રોહિતની હા બાદ જ હાર્દિકને કેપ્ટન બનાવાયો હતો.
રોહિત ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી
મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનનો તાજ છીનવી લઈને હાર્દિક પંડ્યાને આપ્યો છે તેથી રોહિત નારાજ થઈને ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી છે.
આવી સ્થિતિમાં હવે એ સવાલ ઊભો થવા લાગ્યો છે કે શું રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ મુંબઈની ટીમ છોડશે ? આ દરમિયાન કેટલાક ફેન્સ અને મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં જઈ શકે છે.
રોહિત વિશે ચેન્નઈ ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન
રોહિત વિશે ચાલી રહેલી તમામ ખબરો ફગાવી દેતાં ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને હરાજીની વચ્ચે જ કહ્યું હતુ કે, તેમની ટીમ રોહિતને લેવાના મૂડમાં નથી. આ તમામ અહેવાલો અફવા છે. સૈદ્ધાંતિક રીતે, અમે ખેલાડીઓનો ટ્રેડ કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેટ કરવા માટે ખેલાડીઓ નથી. અમે તેમનો સંપર્ક કર્યો નથી અને અમારો અમારો ઇરાદો નથી.
Mahela Jayawardene said - "It was a tough decision, it was emotional. It's fair on the fans as well to react. I think everyone is emotional and we have to respect that as well. But at same time, as a franchise, you have make those decisions". (On Hardik Pandya's MI Captain) pic.twitter.com/Lr3Hq5luCe
— CricketMAN2 (@ImTanujSingh) December 20, 2023
હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતાં પહેલા રોહિતની લેવાઈ હતી મંજૂરી
સીઈઓ વિશ્વનાથને કહ્યું કે હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં ખુદ રોહિત પણ સામેલ હતો. એટલે બાકીનું બધું જ નકામું છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત થયા છે.
MI scouting process is really nice. Last year hardik pandya make fun of Mumbai Indians and this year he is going to be captain of that franchise 🤣🤣🤣 pic.twitter.com/jXGEybUPY6
— Kirkett (@bhaskar_sanu08) December 20, 2023
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ શું બોલ્યાં
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માને લઈને ટીમ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર વાત કરી હતી. તેણે સ્વીકાર્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય મુશ્કેલ હતો. જયવર્ધનેએ સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતુ કે, તે યુવા ખેલાડીઓ સાથે આઇપીએલ પણ રમે છે. આઇપીએલ 2024માં મુંબઇ ઇન્ડિયન્સ એટલે કે એમઆઇની કેપ્ટનશિપ હવે ગુજરાત ટાઇટન્સમાંથી આવેલા હાર્દિક પંડ્યા કરવા જઈ રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પાંચ વખત આઈપીએલ જીતી ચૂક્યો છે, પરંતુ અચાનક જ તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન
ઉલ્લેખનીય છે કે 2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો છે. મુંબઈના આ નિર્ણયથી રોહિતના ચાહકો ખૂબ નિરાશ થયાં હતા અને રોહિત મુંબઈની આગેવાની લેવા હકદાર છે તેવી પણ ચાહકોની લાગણી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh