Ganesh Mantra: રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ સૌભાગ્ય અને ઐશ્વર્યમાં અપાર વૃદ્ધિ થાય છે.
ભગવાન ગણેશની આ રીતે કરો પૂજા
ગણેશજીને દુર્વા અને મોદક છે ખૂબ પ્રીય
આ શક્તિશાળી મંત્રોનો કરો જાપ
સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ અવસર પર પ્રથમ પુજ્ય ભગવાન ગણેશની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ તેમના માટે નિયમિચ વ્રત-ઉપવાસ પણ કરવામાં આવે છે.
ત્યાં જ ગણેશ ઉત્સવના પાંચમાં દિવસે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ, સૌભાગ્ય, આવક, ધન અને ઐશ્વર્યમાં વધારો થાય છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે.
ભગવાન ગણેશની ઉપાસના કરવાથી જીવનમાં બધા પ્રકારના દુખ અને સંકટ દૂર થઈ જાય છે. ભક્ત શ્રદ્ધા અને ભાવથી ભગવાન ગણેશની પૂજા કરે છે. તેના માટે ભક્તો ગણપતિ બાપ્પાને ધરો અને મોદક અર્પિત કરે છે. ભગવાન ગણેશને ધરો અને મોદક ખૂબ જ પ્રિય છે.
ગણેશજીની ખાસ પૂજા
જો તમે પણ ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માંગો છો કે ખાસ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો ગણેશજીની પૂજા કરતી વખતે આ શક્તિશાળી મંત્રોનો જાપ જરૂર કરો. આ મંત્રોના જાપથી દરેક બગડેલા કામ બની જાય છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખુશી આવે છે.
ભગવાન ગણેશના મંત્ર
1.
'गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।
नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।।
धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।
गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।
2.
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।