બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 12:53 PM, 15 March 2024
Ayodhya Ram Mandir : અયોધ્યા રામમંદિરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે, અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે. જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખો યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે.
અયોધ્યામાં રામનવમીના દિવસે રામલલા 24 કલાક ભક્તોને દર્શન આપશે. પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે જ બંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને આ અંગે સૂચના આપી છે. આ વર્ષે રામ નવમી 17મી એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભગવાનના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી.
અયોધ્યા રામ મંદીરમાં ભગવાન રામના દર્શન કરવા માટે દરરોજ લગભગ દોઢથી બે લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ નવમીના દિવસે આ સંખ્યા ઘણી વધી શકે છે. આ જ કારણ છે કે કોઈપણ પ્રકારની અરાજકતાથી બચવા માટે યોગી આદિત્યનાથે તમામ પ્રકારની સુવિધાઓ સમયસર પૂરી પાડવા, સ્વચ્છતા અને સુરક્ષામાં સુધારો કરવાના નિર્દેશ આપ્યા છે. આ માટે તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો સાથે સંકલન સ્થાપિત કરવા સૂચના આપી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh