બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modis tweet on New parliament inauguration

દેશ / 'નવું સંસદ ભવન રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિઓને નવી ગતિ આપશે' લોકાર્પણ બાદ PM મોદીએ દેશવાસીઓને સંબોધતું ટ્વીટ કર્યું

Vaidehi

Last Updated: 11:12 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યાં બાદ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવતો સંદેશો આપ્યો છે.

  • નવા સંસદ ભવનનાં લોકાર્પણ બાદ PM મોદીનો સંદેશો
  • ટ્વીટ કરીને નવા સંસદ ભવન માટે આપી શુભેચ્છા
  • કહ્યું રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિઓને નવી ગતિ મળશે

નવા સંસદ ભવનનું આજે PM  મોદીનાં હસ્તે ઉદ્ગાટન કરવામાં આવ્યું છે. લોકાપર્ણ કર્યાં બાદ પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો છે. વાંચો.

'સંસદ રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિઓને નવી ગતિ આપશે'
PM મોદીએ ટ્વીટમાં નવા પાર્લામેન્ટનાં ફોટોઝ સાથે સેંગોલનો પણ ફોટો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યું કે આજનો દિવસ આપણાં સૌ દેશવાસીઓ માટે અવિસ્મરણીય છે. સંસદનું આ નવું ભવન આપણને ગૌરવ અને નવી આશાઓ આપશે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત જન-જનનાં સશક્તિકરણની સાથે જ રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિઓને પણ નવી ગતિ આપશે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો અને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.  આ ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સંસદની લોકસભામાં સેંગોલને પણ સ્થાપિત કર્યું. PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. સમારોહની શરૂઆત પૂજા સાથે થઈ હતી. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓમ બિરલા પણ બેઠા હતા. જે બાદ PM મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને કર્યું સમર્પિત. .  નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોને સન્માનિત પણ કર્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ