મોરબીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી રાજકોટથી હેલિકોપ્ટર મારફતે મોરબી ખાતે પહોંચ્યા છે. પીએમ મોદી મોરબીમાં જનસભા સંબોધશે.
મોદીનુ મોરબીમાં જનસભાને સંબોધન
- 2014ની ચૂંટણીમાં હાજર લોકોમાંથી અડધા પણ નહોતા આવ્યાઃ મોદી
- મારો અને મોરબીનો નાતો છેઃ મોદી
- મચ્છુ હોનારત સમયે ત્રિવેન્દ્રમથી દોડતા આવ્યો હતોઃ મોદી
- સુખ દુઃખના સમયે મોરબી સાથે રહ્યોઃ મોદી
- ઈન્દીરાબેન મોરબી આવ્યા હતાઃ મોદી
- મોરબી સભામાં PM મોદીએ મચ્છુ હોનારત સમયની યાદો વાગોળી
- ઈન્દીરાબેન દુર્ગંધથી બચવા મોઢા પર રૂમાલ બાંધ્યો હતોઃ મોદી
- ઈન્દીરા ગાંધી હોનારત સમયે મોઢે રૂમાલ રાખી દુર્ગંધથી બચવાનો પ્રયાસ કરતા : PM
- મોરબીના સુખ-દુખમાં હંમેશા સાથે રહ્યો: PM
- અમે જનતા જનાર્દનના સાથી રહ્યા છેઃ મોદી
- અમે આપત્તિને અવસરમાં પટલી છેઃ મોદી
- મોરબીનુ આખા હિન્દુસ્તાનમાં નામ ચમકે છેઃ મોદી
- બનારસના લોકો મોરબીના નામથી પરિચિત છેઃ મોદી
- ગામના છોકરાઓ મારી સાથે કામે લાગતા : PM
- સગો તે કે જે દુઃખમાં સાથ પુરાવેઃ મોદી
- સગો તે જે દુખમાં સાથ આપે મલાઈ ખાવાવાળા તો વાર-તહેવારે નિકળી પડે: PM
- કચ્છ સૌરાષ્ટ્રની મોટામાં મોટી સમસ્યા પાણી સમસ્યા હતીઃ મોદી
PM મોદીના કોંગ્રેસ સરકાર પર પ્રહાર
- કોંગ્રેસના રાજમાં ચૂંટણી વખતે હેંડપંપના વચનો અપાતા : PM
- કોંગ્રેસ એક હેંડપંપ પર 3 ચૂંટણીઓમાં મત માંગતી : PM
- કોંગ્રેસનું વિકાસ મોડલ એટલે હેન્ડપંપ ભાજપનું નર્મદા મોડલ: PM
- કોંગ્રેસનું વિકાસ મોડેલ એટલે હેન્ડ પંપ ભાજપનું વિકાસ મોડેલ એટલે સૌની યોજના: PM
- ગુજરાતમાં અમે પાણી પર ધ્યાન કેન્દ્રીત કર્યુ: PM
- ખેડૂતોને અમારા પર વિશ્વાસ આવવા માંડ્યો: PM
- પહેલા ગુજરાતની પાયાની જરૂરિયાતો પર અમારી સરકારે કામ કર્યુ: PM
- સૌની યોજના દ્વારા હજારો કરોડ રૂપિયા પાણી પાછળ લગાડ્યા: PM
- સૌની યોજનાથી સૌરાષ્ટ્રના 115 ડેમ ભરાશે: PM
- નર્મદાના પાણીથી આજે લગભગ રૂ.1700 કરોડ ખેતિની આવક થવા પહોંચી: PM
- અમે આગામી 100 વર્ષ આગળ ચાલનારા લોકો: PM
- જેમણે કોઇ દિવસ કલ્પના નહોતી કરી એમના ખેતરો સુધી પાણી પહોંચાડ્યું: PM
- અમે આગામી 100 વર્ષને ધ્યાનમાં રાખી કામો કર્યા: PM
- અમે ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી આગળ વધીએ છીએ: PM
- 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક: PM
- 70 વર્ષ સુધી એક જ પરિવારે દેશ પર રાજ કર્યુ: PM
- ચોર-લૂંટારુઓને ગુજરાત લૂંટવા નહીં દઇએ: PM
- CM હતો ત્યારે યુરિયા માટે વર્ષમાં 3 વખત કેન્દ્રસરકારને પત્ર લખતો: PM
- ખેડૂતોના નામે યુરિયા ફેક્ટરીઓમાં જતુ હતુ: PM
- મોદીની વિરૂદ્ધ બોલવાવાળાઓના દુખે છે પેટ કુટે છે માથા: PM
- આજે યુરિયા માટે દેશમાં ક્યાય રાડ પડતી નથી: PM
- ભારત સરકારે ખેડૂતોને મુલ્ય વૃદ્ધી થાય તે દિશામાં નવુ પગલુ ભર્યુ: PM
- ગામડે ગામડે ખેડૂતો મધમાખી ઉછેર કરી શકે તે માટે પગલા ભર્યા: PM
- ગુજરાતમાં કાયમી DGPની નિમણૂકનો મામલો
- ચૂંટણી પંચે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા માગ્યો સમય
- 5 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ
- હાઇકોર્ટે જવાબ રજૂ કરવા કર્યો આદેશ
- GST ને લઈ PM મોદીના કોંગ્રેસ પર પ્રત્યાઘાત
- G-ગ્રાન્ડ S-સ્ટૂપિડ T-થોટ લઈને કેટલાક લોકો ફરી રહ્યા છે: PM
ઉલ્લેખનીય છે કે મોરબી સભા સંબોધ્યા બાદ સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી મોદી સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે પહોંચશે. પ્રાચીથી પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શને જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બપોરે 1.30 વાગ્યે પાલિતાણા ખાતે રેલીને સંબોધીત કરવાના છે. જે બાદ બપોરે 3.30 વાગ્યે નવસારી ખાતે જનસભાને સંબોધીત કરશે. અને જે બાદ ત્યાંથી સીધા દિલ્લી જવા માટે રવાના થશે.