બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 03:19 PM, 22 November 2021
29 નવેમ્બરથી શરુ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. વિપક્ષો સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવાના મૂડમાં નથી તે પારખી લેતા પ્રધાનમંત્રી મોદીએ અત્યારથી કમર કસી છે. તેથી તેમણે સત્રના એક દિવસ એટલે કે 28 નવેમ્બરે બે મોટા કામ કરવાનો નિર્ણય કર્યો છે. 28 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને બીજું તે જ દિવસે ભાજપ સંસદીય દળની બેઠક પણ મળવાની છે. સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવા દેવામાં આવે તેવી વિપક્ષને અપીલ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ પાસે સંસદની સારી કામગીરી સંબંધિત સૂચનો પણ માગવામાં આવશે.
કૃષિ કાયદા અને એમએસપી પર કાયદાની ખેડૂતોની માગ અંગે ચર્ચાની શક્યતા
સૂત્રોના જણાવ્યાનુસાર, રદ કરવામાં આવેલા કૃષિ કાયદા અને એમએસપી પર કાયદાની ખેડૂતોની માગ જેવા મુદ્દા સર્વપક્ષીય બેઠકમાં ચર્ચવામાં આવે તેવી શક્યતા છે.
All-party meet ahead of the Parliament session on Sunday (28th Nov). PM also likely to attend: Sources
— ANI (@ANI) November 22, 2021
28 નવેમ્બરે કયા બે મોટા કામ કરશે પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદી 28 નવેમ્બરે બે મોટા કામ કરવાના છે એકે તો સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા અને બીજી ભાજપ સંસદીય દળની બેઠક યોજાવાના છે. 28 નવેમ્બરની સાંજે ભાજપની સંસદીય દળની બેઠક પણ મળવાની છે જેમાં બપોરના 3 ની આસપાસ એનડીએના તમામ નેતાઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. શિયાળુ સત્રમાં સૌથી મોટું પગલું તો કૃષિ કાયદાને પરત ખેંચવા સંબંધિત રહેશે બુધવારે કેબિનેટ આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દેશે.
વિપક્ષોએ અત્યારથી કમર કસી
શિયાળુ સત્ર માટે વિપક્ષોએ પણ અત્યારથી કમર કસી છે. અને ખેડૂતોની માગના ટેકામાં વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડશે. ખેડૂતો એમએસપી પર કાયદો બનાવાની માગ કરી રહ્યાં છે. ખેડૂતોની આ માગને વિપક્ષોનું પૂરુ સમર્થન છે. તેથી સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દો જોરજોરથી ઉઠવાની સંભાવના છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh