બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Parth
Last Updated: 04:01 PM, 11 January 2022
દેશમાં કોરોના વાયરસને લઈને સતત વધતી ચિંતા વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રો અનુસાર આ બેઠક કોરોના વાયરસ સામે કઈ રીતે લડાઈ લડી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં કયા કયા નવા નિયમો લાગુ કરવામાં તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. 13 જાન્યુઆરીએ સાંજે 4 વાગે આ બેઠક કરવામાં આવશે.
ભારતમાં શું છે પરિસ્થિતિ?
દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થતી જાય છે. અને કેસ વધવાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 68 હજાર 63 નવા કેસ નોંધાયા છે જ્યારે 277 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 1 લાખ 79 હજાર નવા કેસ નોંધાયા હતા.
70 હજાર લોકો સાજા થાય
આ નવા કેસના આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિતના કુલ કેસ વધીને 3 કરોડ 58 લાખ 75 હજાર 790 થઈ ગયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 69,959 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે કુલ 4 લાખ 84 હજાર 213 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેવા છે આજના કોરોનાનાં આંકડા?
દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. જ્યારે ઓમિક્રોનના વધતા ખતરા બાદ હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8 લાખ 21 હજાર 446 થઈ ગઈ છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસ માટે 15,79,928 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 69 કરોડ 31 લાખ 55 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રનો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર, હોસ્પિટલનો ચાર્જ નક્કી કરો
દેશમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના સંક્રમણને લઇ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચેતવણી આપવામાં આવી છે. હાલ ઓમિક્રોનના કેસોમાં 5 થી 10 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય છે. પરંતુ ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ બદલાઇ શકે છે. રાજ્યોએ હોમ આઇસોલેશનના દર્દીઓ પર નજર રાખવી જરૂરી છે કારણ કે દેશમાં ઓમિક્રોન અને કેટલાક રાજ્યોમાં ડેલ્ટા વેરિએન્ટ છે. બંને વેરિએન્ટને કારણે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થઇ શકે છે. ઓમિક્રોન અને કોરોનાના દર્દીઓના આંકડા પર નજર રાખવી જરૂરી. હોસ્પિટલના દ્વારા લેવાતા ચાર્જને નક્કી કરવો જરૂરી.વધુ ચાર્જ લેતા હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહીનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં નથી તૈયારી
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાંઆવી હોવા છતાં પણ રાજ્યોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે. જીનોમ સિક્વોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજ્યોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત પત્ર લખવામાં આવ્યો હતો. 20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં 1129માંથી 172 વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.
20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં
તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને 50 હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ 1600ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે.
રાજ્યોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજ્યો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir