બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / PM Modi in Karnataka: PM Modi attacked Congress talked about Bajrang dal and the kerala story film

રાજનીતિ / VIDEO : PM મોદીએ 'કેરલા સ્ટોરી'ને ગણાવી આતંકી ષડ્યંત્ર પર આધારિત ફિલ્મ, કહ્યું કોંગ્રેસથી સાવધાન થઈ જવાની જરૂર છે

Vaidehi

Last Updated: 03:33 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi On Congress: PM મોદીએ કહ્યું કે દેશનું દુર્ભાગ્ય તો જુઓ કે આજે કોંગ્રેસ સમાજને નષ્ટ કરનારી આતંકી પ્રવૃતિઓનાં સમર્થનમાં ઊભેલી જોવા મળી રહી છે. VIDEO

  • PM મોદીએ કર્ણાટકમાં કર્યું જનસંબોધન
  • કોંગ્રેસ પાર્ટી અને આતંકવાદ પર બોલ્યાં PM
  • ધ કેરળ સ્ટોરી ફિલ્મનો પણ કર્યો ઉલ્લેખ

બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનાં કોંગ્રેસનાં ઘોષણાપત્રનાં વાયદાને લઈને PM મોદી સતત પ્રહારો કરી રહ્યાં છે. તેમણે શુક્રવારે કર્ણાટકનાં બલ્લારીમાં એક જનસભાનું સંબોધન કરતાં કહ્યું કે કોંગ્રેસનાં ઘોષણાપત્રમાં ઘણાં ખોટા વાયદાઓ છે. કોંગ્રેસનું ઘોષણાપત્ર એટલે કે તાળાબંધી અને તુષ્ટિકરણનો સમૂહ. હવે તો કોંગ્રેસની સ્થિતી એટલી બગડી ગઈ છે કે તેમના પગ કાંપી રહ્યાં છે અને તેથી જ કોંગ્રેસને મારા 'જય બજરંગ બલી' બોલવા પર પણ આપત્તિ થવા લાગી છે.

કોંગ્રેસનાં શાસન પર લગાવ્યો પ્રશ્નાર્થ ચિહ્ન
તેમણે કહ્યું કે પોતાની વોટબેંક માટે કોંગ્રેસે આતંકવાદની સામે માથું નમાવ્યું છે. આવી પાર્ટી શું ક્યારેય કર્ણાટકની રક્ષા કરી શકશે? આતંકનાં માહોલમાં અહીંનાં ઉદ્યોગ, IT, ખેતી અને ગૌરવમયી સંસ્કૃતિ બધું જ નષ્ટ થઈ જશે.

પિસ્તોલનાં અવાજો સંભળાઈ રહ્યાં છે...-PM
છેલ્લાં કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયંકર સ્વરૂપ પેદા થઈ ગયું છે. બોમ્બ, બંદૂક અને પિસ્તોલનાં અવાજો સંભળાઈ રહ્યાં છે. પરંતુ સમાજને અંદરથી ખાલી/નષ્ટ કરવાનો કોઈ અવાજ નથી હોતો.

'ધ કેરળ સ્ટોરી' પર સાધ્યું તીર
PMએ કહ્યું કે આવાં જ એક ષડયંત્ર પર બનેલી ફિલ્મ 'ધ કેરેલા સ્ટોરી' આજકાલ ઘણી ચર્ચામાં છે. કહે છે કે કેરેલા સ્ટોરી માત્ર રાજ્યમાં થયેલ આતંકી ષડયંત્રો પર આધારિત છે. દેશનું આટલું સુંદર રાજ્ય કે જ્યાંના લોકો આટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે તે કેરળમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિનાં ખુલાસા આ ફિલ્મમાં કરવામાં આવ્યાં છે. આ ફિલ્મનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ