બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Phone switch off of MP Chudasma and father after FIR in Dr. Atul Chag case
Malay
Last Updated: 09:22 AM, 16 May 2023
વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢની ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ FIR થતા રાજકીય માહોલ ગરમાયો છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડૉ.અતુલ ચગના આપઘાત કેસના ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે, ડૉક્ટર અતુલ ચગની સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાના નામનો ઉલ્લેખ હતો.
સાંસદ અને તેમના પિતાનો ફોન સ્વીચ ઓફઃ SP
ભાજપ સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ FIR નોંધાયા બાદ ગીર સોમનાથના SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં પુરાવો મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 'વર્ષ 2008માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા અને તા. 12.02.2023ના રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.'
ગીર સોમનાથ: ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, ત્રણ માસ બાદ આખરે વેરાવળ પોલીસમાં ગુનો નોંધાયો, મૃતકના પુત્રએ હાઇકોર્ટના ખખડાવ્યા છે દ્વાર#Girsomnath #DRAtulchag #vtvgujarati pic.twitter.com/x8sMQSeiNC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2023
શું છે સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડૉક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.
મળી હતી સુસાઇડ નોટ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
મૃતકના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી
અનેક વખત રજૂઆત કરવા છતાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ સામે ફરિયાદ નોંધવામાં ન આવતા મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અને સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી હતી. તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા અધિકારક્ષેત્રમાં આ મામલો આવતો નથી. ડૉ. અતુલ ચગ આપઘાત કેસના ત્રણ મહિના બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh