બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Papaya is considered very beneficial for health. Consuming this nutrient-rich fruit helps keep the skin as well as the stomach healthy.
Pravin Joshi
Last Updated: 11:52 PM, 6 March 2024
પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળનું સેવન ત્વચાની સાથે સાથે પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે લોકો પપૈયાનું સેવન કરતી વખતે તેના બીજ ફેંકી દે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પપૈયાના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ફાઈબર, હેલ્ધી ફેટ અને પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય આ બીજમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે.
કેન્સરનું જોખમ ઘટશે
પપૈયાના બીજમાં પોલીફેનોલ્સ મળી આવે છે જે મજબૂત એન્ટીઓક્સીડેન્ટ છે, આ એન્ટીઓક્સીડેન્ટ શરીરને ઘણા પ્રકારના કેન્સરથી બચાવે છે. પપૈયાના 5-6 બીજને પીસીને તેનો રસ સાથે સેવન કરો.
ડાયાબિટીસ કંટ્રોલ કરશે
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પપૈયાના બીજ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં માત્ર ફાઈબર જ નહીં પરંતુ ઘણા પોષક તત્વો પણ હોય છે જે હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
વજન ઘટશે
પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં તે પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે અને શરીરમાં વધારાની ચરબીનો સંગ્રહ અટકાવે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે આ બીજને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે
આ બીજને મોસમી રોગો, એલર્જી અને ચેપથી બચાવવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે.
પાચન સ્વસ્થ રહેશે
તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં પપૈયાના બીજનો સમાવેશ કરી શકો છો. તેમાં કાર્પેન નામનું તત્વ જોવા મળે છે જે આંતરડામાં રહેલા કૃમિ અને બેક્ટેરિયાને મારીને શરીરને કબજિયાતથી બચાવવામાં મદદ કરે છે. આ બીજનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
વધુ વાંચો : આ લોકોએ ભૂલથી નારિયેળ પાણી ન પીવું જોઈએ? સમસ્યા ઘટી નહીં વધી જશે, બાદમાં પસ્તાશો
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે
પપૈયાના બીજનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ બીજમાં ઓલિક એસિડ અને કેટલાક અન્ય મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જોવા મળે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh