બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Nijjar Funded Terrorist Attacks in India, Created Camps in Canada and Trained Weapons, Also Big Reveal About ISI.
Pravin Joshi
Last Updated: 11:31 PM, 23 September 2023
ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ઉભો થયો છે. દરમિયાન, ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જર કોઈ ધાર્મિક કે સામાજિક વ્યક્તિ નથી, પરંતુ આતંકવાદી હતો. તે કેનેડામાં આતંકવાદી પ્રશિક્ષણ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હતો. ઈન્ડિયા ટુડે અનુસાર, નિજ્જરે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની મદદથી પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી અને દેશના અન્ય ખાલિસ્તાની સમર્થકો સાથે સંબંધો જાળવી રાખ્યા હતા.
આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ
દસ્તાવેજમાં જણાવાયું છે કે તેણે પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓને ભંડોળ પૂરું પાડ્યું હતું. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક હરદીપ સિંહ નિજ્જર (45), કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાના પાર્કિંગમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
શસ્ત્રો વાપરવા માટે પ્રશિક્ષિત
ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરે કોઈ પણ ડર વગર ખાલિસ્તાની ગતિવિધિઓ કરી હતી. તેણે કેનેડામાં હથિયારોની તાલીમ શિબિરોનું આયોજન કર્યું, જ્યાં તેણે લોકોને AK-47, સ્નાઈપર રાઈફલ્સ અને પિસ્તોલ જેવા હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપી. તેણે કથિત રીતે રાજકીય અને ધાર્મિક વ્યક્તિઓ વિરુદ્ધ લક્ષ્યાંકિત હત્યાઓ અને હુમલાઓ કરવા માટે વ્યક્તિઓને ભારતમાં મોકલ્યા હતા.
નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો
નિજ્જર 1996માં રવિ શર્માના નામના નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો અને ટ્રક ડ્રાઈવર અને પ્લમ્બર તરીકે કામ કરતો હતો. તેણે કેનેડામાં હિંસક ભારત વિરોધી દેખાવો યોજ્યા હતા અને ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી હતી. તેણે ભારતીય દૂતાવાસના અધિકારીઓ પર કેનેડામાં સ્થાનિક ગુરુદ્વારા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.
2007માં કેનેડાના નાગરિક બન્યા
1997 માં, ખાલિસ્તાની આતંકવાદીએ તે મહિલા સાથે લગ્ન કર્યા જેણે કેનેડામાં તેના ઇમિગ્રેશનને સ્પોન્સર કર્યું હતું. નિજ્જરે કેનેડાની નાગરિકતા મેળવવા માટે આ બનાવટી લગ્ન કર્યા હતા. જોકે, કેનેડા સરકારે આ લગ્નને ફગાવી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મહિલા પોતે 1997માં કેનેડા આવી હતી, તે પણ કોઈ અન્ય સાથે લગ્ન કરીને. દસ્તાવેજમાં જણાવાયું છે કે નિજ્જર બાદમાં 2007માં કેનેડિયન નાગરિક બન્યો હતો.
જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો
તેમાં કહેવામાં આવ્યું છે કે 1980 અને 90ના દાયકામાં નિજ્જર ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. નિજ્જરે 2012માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ચીફ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના હત્યારા જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો હતો. નિજ્જર બૈસાખી ગ્રૂપના સભ્ય હોવાની આડમાં પાકિસ્તાન ગયો હતો.
ISIએ તાલીમ આપી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જરને તારા દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો અને તેને ISI દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 2012 અને 2013માં તેને IED એસેમ્બલ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 2013માં તારા સંસ્થાના વડા બન્યા બાદ નિજ્જર KTFમાં જોડાયા હતા. ત્યારબાદ, તેણે KTFને મજબૂત કરવા અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે 2013 અને 2014માં તારા અને ISI અધિકારીઓ સાથે બેઠકો કરવા માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
KTF ની કમાન સંભાળી
જગતાર સિંહ તારાએ અમેરિકામાં રહેતા હરજોત સિંહ બિરિંગને કેનેડામાં નિઝરને જીપીએસ ઉપકરણ ચલાવવાની તાલીમ આપવા મોકલ્યો હતો. 2015 માં, જગતાર સિંહ તારાને થાઇલેન્ડથી ભારતમાં દેશનિકાલ કરવામાં આવ્યા પછી, નિજ્જરે KTF કામગીરીની ભૂમિકા સંભાળી. કેનેડામાં હતા ત્યારે નિજ્જરે અન્ય એક આતંકવાદીને હથિયારો અને જીપીએસ ઉપકરણોની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. તેણે 2014માં તારાને આતંકવાદી ગતિવિધિઓ માટે 10 લાખ રૂપિયા પણ મોકલ્યા હતા.
મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં નામ સામેલ
પંજાબમાં ટાર્ગેટ કિલિંગ સહિત અનેક આતંકવાદી હુમલાઓ કથિત રીતે નિજ્જર દ્વારા કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2018માં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સુપરત કરેલી મોસ્ટ-વોન્ટેડ યાદીમાં તેમનું નામ સામેલ હતું. ડોઝિયર મુજબ, નિજ્જર મૂળ પંજાબના જલંધરના ભરસિંહપુરનો રહેવાસી હતો. તેનો આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો લાંબો ઈતિહાસ હતો.
અપહરણ અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું
પોલીસ સૂત્રોનું કહેવું છે કે નિજ્જરનો ખાલિસ્તાની આતંકવાદમાં પ્રવેશ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તે શીખ લિબરેશન ફ્રન્ટ (SLF)ના સ્થાપકોમાંના એક મોનિન્દર સિંહ સાથે જોડાયો. નિજ્જર અને અન્યોએ એક આતંકવાદી ગેંગ બનાવી અને ચાર લોકોની ભરતી કરી. ડોઝિયરમાં જણાવાયું છે કે પંજાબમાં સમાજના વિવિધ વર્ગોમાં ભય અને અસંતોષની લાગણી પેદા કરવા માટે તેઓએ અન્ય ધર્મના લોકોનું અપહરણ અને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આતંકવાદી કૃત્યો કરવાની લાલચ આપી હતી
તપાસમાં બહાર આવ્યું છે કે નિજ્જર અને અર્શદીપે શૂટરોને કેનેડામાં વિઝા, સારી નોકરી અને સારી કમાણી કરાવવાના બદલામાં આતંકવાદી કૃત્યો કરવા માટે લાલચ આપી હતી. શરૂઆતમાં, તેઓ પંજાબમાં વેપારીઓને ધમકાવવા અને તેમની પાસેથી પૈસા પડાવવા પ્રેરિત હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh