બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:39 AM, 2 July 2022
આ દિવસોમાં મેકર્સ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નવા કલાકારોની એન્ટ્રી કરાવવામાં વ્યસ્ત છે. હાલમાં જ મેકર્સે શોમાં નટ્ટુ કાકાની એન્ટ્રી કરાવી છે. ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારથી નટુ કાકા આ શોમાં જોવા મળ્યા ન હતા.
હજુ પણ શોમાંથી મહત્વના કલાકારો ગાયબ
પાછલા થોડા દિવસોમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. એવામાં દર્શકો પહેલા જેવી રુચિ સાથે શો નથી જોઈ રહ્યા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ઘનશ્યામ નાયક માટે રિપ્લેસમેન્ટ શોધવાનું યોગ્ય માન્યું. જો કે શોમાં હજુ પણ ઘણા મહત્વના કલાકારો ગાયબ છે. પરંતુ નિર્માતાઓએ એ પણ નક્કી કર્યું છે કે તેઓ એક પછી એક બધાને પાછા લાવશે.
શોનો નવો પ્રોમો આવ્યો સામે
હાલમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કોઈ અન્ય કલાકાર આવવાનું છે. જેને જોઈને ગોકુલધામના લોકોના હોશ ઉડી જશે. લેટેસ્ટ પ્રોમોમાં એવું જોવામાં આવી રહ્યું છે કે ક્લબ હાઉસની બહાર કોઈ સૂઈ રહ્યું છે.
ગોકુલધામના લોકો તેને જોઈને ચોંકી ઉઢે છે. પરંતુ તે કોણ છે તે જાણી શકાયું નથી. એવામાં તે સ્પષ્ટ છે કે નિર્માતાઓ દર્શકો માટે સરપ્રાઈઝ લાવી રહ્યા છે. પણ એ સરપ્રાઈઝ આખરે છે શું એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.
દર્શકો જોઈ રહ્યા છે દયાબેનની રાહ
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દર્શકો દયાબેનના પાત્રની રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે દયાબેન શોમાં પરત ફરી રહ્યા છે. પરંતુ હજુ પણ તેમની વાપસી અંગે શંકા છે.
ચાહકો દિશા વાકાણીને જ શોમાં જોવા માંગે છે. જોકે આ શક્ય નથી. કારણ કે દિશા વાકાણી હાલમાં જ માતા બની છે. પરંતુ એ વાત કન્ફર્મ છે કે મેકર્સ ટૂંક સમયમાં જ દયાબેનને શોમાં પાછી લઈ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh