બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari's shrill road echoes with screams of death, 4 killed in collision between container and car

BIG BREAKING / નવસારીનો ચીખલી રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો, કન્ટેનર અને કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોને કાળ ભરખી ગયો, 2 ઇજાગ્રસ્ત

Priyakant

Last Updated: 10:45 AM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કમકમાટીભર્યા મોત

  • નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત
  • અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • નવસારી DySP સહિતના સ્ટાફ પણ ઘટના સ્થળે

રાજ્યમાં વધતાં જતાં અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. જોકે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 

નવસારી DySP સહિતના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો

નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જાયા બાદ હાઇવે મરણચીસોથી ગુણઝી ઉઠ્યો હતો. 

નવસારી DySP સહિતના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો

4 લોકોના મોતથી માતમ 
આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ તરફ અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક અસરથી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. આ સાથે ઘટનાની જાણ થતાં જ નવસારી DySP સહિતના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર મામલે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અકસ્માત ગ્રસ્ત કન્ટેનર

અકસ્માતને કારણે થયો હતો ટ્રાફિકજામ 
આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી ચિખલી પોલીસે ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.  

અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ