બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:36 PM, 21 February 2024
મિડલ ક્લાસ માટે કરોડપતિ બનવું એક સ્વપ્ન જેવું છે. જો તમે નોકરી કરતા હોવ તો જલદી રોકાણ શરૂ કરો. તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો તેટલું સારું વળતર મળશે. આ યોજનામાં તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તમને તેના પર સારું વ્યાજ પણ મળશે. આ લોકપ્રિય સ્કીમ છે, જેમાં જમા કરેલ નાણાં, મળતું વ્યાજ અને પાકતી મુદત પર મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. દર વર્ષે મળતા વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જ્યારે રકમ મેચ્યોર થશે, ત્યારે તે સમગ્ર રકમ કરમુક્ત રહેશે.
ADVERTISEMENT
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકો છો. હાલમાં આ સ્કીમમમાં રોકામ કરવામાં આવે તો તેના પર 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં જે રકમનું રોકાણ કરવામાં આવે તે રકમ 15 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડમાં જે પણ રોકામ કરવામાં આવે તે બજારના જોખમોને આધિન હોય છે. શેરબજારમાં જે વધઘટ થાય છે, તેની અસર રોકાણ પર થાય છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તે તમારા માટે સારો વિકલ્પ સારો સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ પર સારું રિટર્ન મળ્યું છે.
ADVERTISEMENT
(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.