બ્રેકિંગ ન્યુઝ
VTV / MP Nitin gadkari launch india first cng tractor 12 february
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આવતીકાલ સાંજે (12 ફેબ્રુઆરી)એ 5 વાગ્યે દેશનું પહેલું CNG ફિટેડ ટ્રેક્ટર લોન્ચ કરશે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વીકે સિંહ અને પુરૂષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. તમને જણાવી દઇએ કે, CNGથી ચાલતા આ ટ્રેક્ટરથી ખેડૂતોને કેવા ફાયદા મળશે.
ટ્રેક્ટરથી CNG કન્વર્ઝનથી આ ફાયદા
ADVERTISEMENT
રાવમેટ ટોક્નો સૉલ્યૂશન્સ અને ટોમેસેટો એચીલે ઇન્ડિયા દ્વારા ટ્રેક્ટરનું સીએનજી કન્વર્ઝન કરવાથી ખેડૂતોને ઘણો ફાયદો મળશે. આનાથી ખેડૂતોની આવક વધવામાં પણ મદદ મળી શકશે. સીએનજી એન્જીનવાળા ટ્રેક્ટરની લાઇફ ડીઝલ એન્જિન ટ્રેક્ટરોથી વધુ હશે અને આનુ માઇલેજ પણ વધારે હશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને દર વર્ષે ઇંધણમાં 1 લાખ રૂપિયા સુધીની બચત થશે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે ઉપર-નીચે થાય છે જ્યારે તુલનાત્મક રીતે સીએનજીના ભાવોમાં વધ ઘટ ઓછી હોય છે.
ADVERTISEMENT
Union Minister @nitin_gadkari to launch India’s first CNG tractor on 12th February, 2021
— PIB India (@PIB_India) February 11, 2021
The tractors could save as much as ₹1 lakh rupees annually on fuel costs for farmers
Read: https://t.co/0C0759UJJ0
ADVERTISEMENT
CNG ટ્રેક્ટરથી થશે આ ફાયદો
ADVERTISEMENT
રિપોર્ટનું માનીએ તો ડીઝલથી ચાલનારા એન્જિનની તુલનામાં રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધુ તાકાતવાળા હોય છે. જેમાં ડીઝલની તુલનામાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકા ઘટ આવે છે. આ ખેડૂતોને ઇંધણના ખર્ચ પર 50 ટકા સુધીની બચત કરાવવામાં મદદ કરશે. જણાવી દઇએ કે, આ સમયે ડીઝલના ભાવ 78 રૂપિયા પ્રતિ લીટર છે. સીએનજી માત્ર 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.