બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / mother in law and daughter in law quarrel inside home does not disturb neighborus peace says delhi court
Hiralal
Last Updated: 10:25 PM, 16 January 2023
સાસુ અને વહૂ વચ્ચેનો ઝગડો સામાન્ય છે અને કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જ્યાં સાસુ-વહૂ વચ્ચે ઝગડા ન થતા હોય. સાસુ વહૂના ઝગડા પર દિલ્હીની એક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એક મહત્વના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, ઘરની અંદર સાસુ-વહુનો વિવાદ થવો સામાન્ય વાત છે. આ પડોશીઓ અને બહારના લોકો માટે શાંતિના ભંગ માટેનું કોઈ કારણ ન બની શકે. દિલ્હીની તીસ હજારી કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઇએમ) દ્વારા પુત્રવધૂ વિરુદ્ધ જારી કરવામાં આવેલી સીઆરપીસીની કલમ 107/111 રદ કરવાનો આદેશ આપ્યો હતો.
દર વખતે વહુ ખોટી હોય એવું ન બને
કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દર વખતે વહુ ખોટી હોય, તેની વાતો પણ સાચી હોય છે. આ કેસમાં પોલીસે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. ઘરેલું ઝઘડાઓને શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો આધાર ન બનાવવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલે વહુનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. તેમણે પુત્રવધૂને સીધી દોષી ઠેરવી દીધી છે.
શું હતો મામલો
અરજદાર વહૂએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની સાસુ સાથે 20 ડિસેમ્બર, 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને બોલાવી. પોલીસે પુત્રવધૂ સામે શાંતિ ભંગ બદલ ગુનો નોંધ્યો છે. મહિલાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઈએમે પુત્રવધૂને દોષિત ઠેરવી હતી અને છ મહિના માટે બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પુત્રવધૂએ એસઈએમના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસને શાંતિ ભંગના કેસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh