બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 09:15 AM, 6 September 2023
દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણપક્ષની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ તીર્થસ્થાન પર જઈને દર્શન કરવાને અને પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંદિર પ્રસિદ્ધ છે અને તમામ મંદિરનું અલગ મહત્ત્વ તથા વિશેષતા છે. આ મંદિરો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
દ્વારકાધીશ મંદિર, મથુરા
આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની કાળા રંગની પ્રતિમા છે અને તે પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર યમુના નદીના તટ પર જેલમાં આવેલ છે, જ્યાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે, આ મંદિરની કોઠરીમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયો હતો. આ મંદિરને દ્વારકાધીશ મંદિર પણ કહેવામાં આવે છે. લાખોની સંખ્યામાં ભક્તો આ દિવ્ય મંદિર જોવા માટે આવે છે. આ મંદિરના દર્શન કરીને તમને શાંતિનો અનુભવ થશે.
બાંકે બિહારી મંદિર, વૃંદાવન
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વૃંદાવનમાં પસાર થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણને બાંકે બિહારી પણ કહેવામાં આવે છે. આ કારણોસર આ મંદિરનું નામ તેમના નામ પર બાંકે બિહારી રાખવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં તેમની રાસલીલા અને શરારત કરી હતી. વૃંદાવનમાં ઈસ્કોન મંદિર, પ્રેમ મંદિર અને બાંકે બિહારી મંદિર છે. જન્માષ્ટમીના દિવસે આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે.
દ્વારકાધીશ મંદિર, ગુજરાત
ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. ચાર ધામ સ્થળમાં ગુજરાતના દ્વારકાધીશ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર ગોમતી ક્રીક પર આવેલ છે અને 43 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવે છે. જો તમે હજુ સુધી આ મંદિર જોયું નથી તો તમારી ગુજરાતની ધાર્મિક યાત્રા અધૂરી માનવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આ મંદિરમાં માહોલ જોવાલાયક હોય છે.
ઉડુપી શ્રીકૃષ્ઠ મઠ મંદિર, કર્ણાટક
13મી સદીમાં વૈષ્ણવ સંત માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ભક્તો આ મંદિરની બારીમાંથી નવ છિદ્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરે છે. આ બારીને ચમત્કારી બારી કહેવામાં આવે છે. દર વર્ષે અનેક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને ફૂલ અને લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવે છે. ભક્તોએ દર્શન કરવા માટે 3-4 કલાક સુધી રાહ જોવી પડે છે.
જગન્નાથ પુરી, ઓડિશા
ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. આ મંદિરમાં રથયાત્રાના દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે. આ રથયાત્રામાં ભાગ લેવા અને જગન્નાથજીનો રથ ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ યાત્રા માટે ત્રણ વિશાળ રથ બનાવવામાં આવે છે. જેમાં બલરામજીનો રથ સૌથી પહેલા, ત્યારપછી બહેન સુભદ્રા અને ભગવાન શ્રીકૃષ્ણનો રથ હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh