બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 03:54 PM, 18 January 2024
દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓ છે. જેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો મચ્છરોના કારણે થતા રોગોના કારણે મૃત્યુ પામે છે, પરંતુ તાજેતરના અભ્યાસે આ વાતને નકારી કાઢી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. જ્યારે એક દાયકા પહેલા, વિશ્વભરમાં દર વર્ષે લગભગ 20 લાખ લોકો ફંગલ ઇન્ફેક્શનથી મૃત્યુ પામતા હતા. આ વર્ષે આ આંકડો બમણો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફંગલ ઇન્ફેક્શનને કારણે કુલ 38 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ અભ્યાસ લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસ
લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારત સહિત 80 થી વધુ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ બાદ આ વાત સામે આવી છે. આ કિસ્સામાં, બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ચેપી રોગોના વિભાગના પ્રોફેસર ડેવિડ ડેનિંગે કહ્યું કે ફંગલ ઇન્ફેક્શનનાં કારણે મૃત્યુના કિસ્સામાં આગાહીઓ અસ્પષ્ટ છે. વાસ્તવમાં, ફંગલ ઇન્ફેક્શન ઘણા રોગો (જેમ કે એઇડ્સ અને લ્યુકેમિયા) ના વિકારોને વધારે છે. આવી સ્થિતિમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. સમગ્ર વિશ્વમાંથી 300 પ્રોફેશનલ્સનો સહકાર લેવામાં આવ્યા બાદ જ આ અભ્યાસ પૂર્ણ થયો હતો.
વાંચવા જેવું: થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 23 લોકોના મોત, અનેક ઘાયલ, કારણ અકબંધ
મેલેરિયા અને ટીબી કરતાં ફંગલ ઇન્ફેક્શનનાં કારણે વધુ મૃત્યુ
સંશોધકોએ જણાવ્યું હતું કે ફંગલ ઇન્ફેક્શનનાં કારણે મૃત્યુદર અન્ય કોઈ પણ રોગકારક જીવાણુના કારણે મૃત્યુની સંખ્યાને પાછળ છોડી ગયો છે. ફંગલ ઇન્ફેક્શનનાં કારણે મેલેરિયા કરતાં 6 ગણા વધુ મૃત્યુ અને ટીબી કરતાં 3 ગણા વધુ મૃત્યુ થાય છે. સૌથી મહત્વપૂર્ણ જીવલેણ ફંગલ એસ્પરગિલસ, ફ્યુમિગેટસ અને એસ્પરગિલસ ફ્લેવસ છે. જે ફેફસામાં ચેપનું કારણ બને છે. અસરગ્રસ્ત લોકોમાં અસ્થમા, ટીબી અને ફેફસાના કેન્સર જેવી બીમારીઓ જોવા મળે છે.
68 ટકા મૃત્યુ માટે સીધી રીતે જવાબદાર
બિમારીઓનાં કારણે જેટલા મૃત્યુ થયા, તેમા 68% (25.5 લાખ) મૃત્યુ માત્ર ફંગલ ઇન્ફેક્શનનાં કારણે થયા હતા. જ્યારે 12 લાખ (32%) મૃત્યુ અન્ય રોગોથી સંબંધિત હતા. શ્વસન સંબંધી ગંભીર બીમારીઓને કારણે થયેલા 32.3 લાખ મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ એસ્પરગિલસ ફંગલ ઇન્ફેક્શનનાં કારણે થયા છે. ફંગલ ઇન્ફેક્શનનાં કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. તેનું એક કારણ એ છે કે કેટલીક વાર ડોક્ટર પણ નથી ઓળખી સકતા કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે. જેથી દર્દીની સારવારમાં મોડું થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh