બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 08:04 AM, 18 January 2024
Thailand Firecrackers Blast : થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. વિગતો મુજબ રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે, કોઈ બચ્યું નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા હતા.
એક બ્રિટિશ ન્યૂઝ સર્વિસ કંપનીના જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, નવેમ્બર 2022માં પણ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને એક જીવ ગયો હતો. ઓગસ્ટ 2023માં પણ નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.
#นายกฯเศรษฐา ต่อสายผู้บัญชาการภาค 7 ติดตามสถานการณ์พลุระเบิด pic.twitter.com/hcG2zEVCou
— ไทยคู่ฟ้า (@thaigov1) January 17, 2024
સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમને EOD ટીમ તરફથી અહેવાલો મળ્યા છે કે 23 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેણે એ પણ જણાવ્યું કે, ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.
થાઈલેન્ડના PMને પણ માહિતી આપવામાં આવી
થાઇલેન્ડના પીએમ શ્રીથા થવિસિન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા. PMO દ્વારા ત્યાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, PM શ્રીથા થવિસિનને પ્રાદેશિક પોલીસ કમાન્ડર દ્વારા ફોન પર મામલાની જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં 20 થી 30 કામદારો હતા અને તેમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh