બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 01:00 PM, 30 May 2023
મગનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની બિમારીઓ સામે રક્ષણ મળે છે. મગમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે, જેથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત રૂપે મગની દાળનું સેવન કરવું જોઈએ. મગની દાળનું સેવન કરવાથી ગરમીઓમાં હીટ સ્ટ્રોક સામે રક્ષણ મળે છે.
પાચનની સમસ્યા હોય તો મગની દાળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત અનેક જરૂરી પોષકતત્ત્વો રહેલા હોય છે. મગની દાળથી પેટમાં ઉત્પન્ન થતા ગેસથી રાહત મળે છે. મગની દાળનું સેવન કરવાથી ચરબી વધતી નથી. મગની દાળનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રહે છે.
શરીરમાં વધતા કોલસ્ટ્રોલને દૂર કરવા માટે મગની દાળનું સેવન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શરીરમાંથી વધારાનો કોલેસ્ટ્રોલ દૂર થાય છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેમના માટે મગની દાળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. મગની દાળમાં 100થી ઓછી કેલરી હોય છે, જેનું સેવન કર્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધુ કેલરીનું સેવન કરી શકતા નથી.
મગનું પાણી
મગના એક કપ પાણીમાં 212 કેલોરીઝ, 14 ગ્રામ પ્રોટીન, 15 ગ્રામ ફાઈબર, 1 ગ્રામ ફેટ, 4 ગ્રામ ખાંડ, 321 માઇરક્રોગ્રામ ફૉલેટ, 97 મિ.લી. મેગ્નેશિયમ, 7 મિ.લી ઝિંક, 55 મિ.લી કેલ્શિયમ હોય છે. વિટામીન બી1, બી5, બી6, થિયામિન, રેજિસ્ટેન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાઈબર પણ હોય છે, જેથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir