બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / Minister of State for Railways Darshana Zardosh's announcement, train will start between Bilimora-Waghai
Vishnu
Last Updated: 10:05 PM, 30 August 2021
દક્ષિણ ગુજરાતથી કેન્દ્રની સરકારમાં પ્રભુત્વ ધરવાતા નવનિયુક્ત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ દક્ષિણ ગુજરાતના લોકોને જન્માષ્ટમીના પાવન દિવસે મોટી ભેટ આપી છે કેટયાલ સમયથી દક્ષિણ ગુજરાતના લોકોની માગણી હતી કે બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ગેજ ટ્રેન દોડાવવામાં આવે.
ત્યારે આજે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ 4 સપ્ટેમ્બરથી નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નેરોગેજ ટ્રેનથી લોકોની મુસાફરી તો આસાન બનશે જ પણ સાથે પ્રકૃતિનો આનંદ પણ માણવા મળશે. આ ટ્રેનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને આદિવાસી લોકોને આ નેરોગેજ ટ્રેન શરૂ થવાથી બેવડો ફાયદો થશે.
હેરિટેજ ટ્રેન છે ખાસ
જન્માષ્ટમીના દિવસે દ.ગુજરાતના આદિવાસી લોકોને તેમજ પ્રવાસીમાટે મોટી જાહેરાત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 4 સપ્ટેમ્બરથી બીલીમોરા-વઘઇ વચ્ચે આદિવાસી જિલ્લાઓને જોડતી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. નેરોગેજ લાઈન પર દોડતી આ હેરિટેજ ટ્રેન ખાસ સવલતોથી સજ્જ છે. ટ્રેન શરૂ થવાથી આસપાસ મુસાફરોને તો મોટી રાહત મળશે જ પણ સાથે સાથે પ્રવાસીઓ પણ વિશેષ હેરિટેજ ટ્રેનની સુવિધાનો પણ લાભ લઈ શકશે સાથે સાથે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ વચ્ચેના આ ટ્રેનના રૂટથી પ્રકૃતિનો આનંદ પણ માણી શકાશે. ટ્રેનમાં બેઠક વ્યવસ્થાથી માંડી તમામ સવલતો પણ ભોગવી શકાશે ત્યારે ફરી એકવાર ટ્રેન શરૂ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો જાહેરાતને આવકારી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ