બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Mauritian Financial Watchdog Gives Clean Chit To Entities Associated To Adani In The Country
Hiralal
Last Updated: 04:47 PM, 14 February 2023
હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી સતત મુશ્કેલીમાં મુકાઈ રહેલા અદાણી જૂથને છેલ્લા એક પખવાડિયામાં પહેલાં રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર રોકાણકારો સાથે છેતરપિંડી અને કંપનીઓના કામકાજમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂક્યો છે ત્યારે મોરેશિયસના રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કમિશને અદાણી જૂથને ક્લિન ચીટ આપી છે.
38 કંપનીઓ અને 11 ગ્રૂપના પૈસામાં કોઈ ગેરરીતિ થઈ નથી
મોરેશિયસ રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસ કમિશન (એફએસસી)એ કહ્યું છે કે તેને અદાણી જૂથ સાથે સંકળાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રૂપના ફંડોમાં કાયદાનો કોઈ ભંગ થયો હોવાનું જણાયું નથી. હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અબજોપતિ ગૌતમ અદાણીએ તેમની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવમાં હેરાફેરી કરવા માટે મોરેશિયસ સ્થિત શૅલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ મોરિશિયસમાં શરુ થઈ તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હિંડનબર્ગના રિપોર્ટ બાદ મોરિશિયસમાં પણ ગૌતમ અદાણી સામેની કંપનીઓની તપાસ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તપાસને અંતે સરકારને ગૌતમ અદાણીની કંપનીઓ સામે કંઈ વાંધાજનક ન જણાતાં તેને ક્લિનચીટ આપી દેવાઈ હતી. ફાઈનાન્સિયલ સર્વિસ કમીશનના વડા એક્ઝિક્યુટિવ ઓફિસર ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું કે, મોરેશિયસમાં અદાણી જૂથ સાથે સંકળાયેલા બધા જ એકમોના પ્રારંભિક આકલન અને એકત્ર કરાયેલી માહિતીના આધારે અત્યાર સુધી અમને કાયદા અથવા નિયમો તોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.
મોરેશિયસની નકલી કંપનીઓ દ્વારા કાળા નાણાને ધોળા કરવાનો ખેલ
ભારતીય કંપનીઓ પર ટેક્સ ચોરી માટે મોરેશિયસ સ્થિત નકલી કંપનીઓનો ઉપયોગ કરવાના આરોપો લાંબા સમયથી લાગતા રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પર મોરેશિયસ સ્થિત કંપનીઓ મારફત ભારતમાં કાળા નાણાંને ધોળુ કરવાના આક્ષેપો લાગ્યાં હતા.
શું છે હિંડનબર્ગ રિપોર્ટ
અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર રોકાણકારો સાથે છેતરપિંડી અને કંપનીઓના કામકાજમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકતા હડકંપ મચ્યો હતો. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પહેલી વાર ગૌતમ અદાણીને વિદેશ તરફથી મોટી રાહત મળી છે.
Sensex surges 600.42 points to finish at 61,032.26; Nifty closes above 17,925
— Press Trust of India (@PTI_News) February 14, 2023
અદાણી એન્ટરપ્રાઇઝના ફાઈનાન્સિયલ રિઝલ્ટ બાદ શેરબજારમાં તેજી
મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી એન્ટરપ્રાઇઝે તેના Q3ના પરિણામો જાહેર કર્યા બાદ બજારમાં તેજી આવી હતી અને છેલ્લે સુધી ચાલુ રહી હતી. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 600 અંક ઉછળીને 61,032.26 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઇન્ડેક્સ 159 પોઇન્ટના વધારા સાથે 17,929.85 ના સ્તરે બંધ રહ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh