બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mata Madh Rejuvenation Darshan will be a place to hang out people happy
Kishor
Last Updated: 11:35 PM, 16 January 2023
કચ્છના લખપત નજીક આવેલા કુળદેવી માં આશાપુરાના મંદિરે નવરાત્રી ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન અસંખ્ય શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે. ત્યારે આ મંદિર, તેના પરિસર તેમજ આસપાસના અન્ય ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવીનીકરણ કરવામાં આવશે. 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ ઉઠાવેલું આ પ્રોજેક્ટ હવે શરૂ થતાં માતાનો મઢ માત્ર તીર્થ સ્થાન જ નહીં પરંતુ પ્રવાસન સ્થળ પણ બનશે.
32.71 કરોડના ખર્ચે મંદિરનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની શરૂઆત પહેલાં દેશદેવી માં આશાપુરાના દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરના નવીનીકરણ અંગે ટ્રસ્ટીઓએ સહમતી આપતા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રોજેકટને આગળ ધપાવ્યો હતો. ત્યારબાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ પ્રોજેક્ટ માટે વહીવટી મંજુરી અપાતા હવે રૂ. 32.71 કરોડના ખર્ચે આ મંદિરનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.વર્ષ 2021માં રાજ્યના બજેટમાં માતાના મઢ મંદિરના નવીનીકરણ માટે રાજ્ય સરકારે રૂ. 32.71 કરોડ ફાળવ્યા હતા.
પ્રવાસીઓ અહીં વિશેષ મુલાકાત લેશે
માતાનામઢ તીર્થધામ નવિનીકરણ કાર્ય અંગે વીટીવી ન્યુઝે માતાનામઢ રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું કે માતાના મઢ રી-ડેવલપમેન્ટથી અહીં વ્યવસાય કરતા ધંધાર્થીઓને ખુબજ ફાયદો મળશે સાથે અન્ય યાત્રાધામોની જેમ માતાનામઢમાં પણ દર્શનાર્થીઓને કોઈજ તકલીફ પડશે નહીં દર્શન સાથે અહીં ફરવાલાયક સ્થળોનું નિર્માણ થશે જેથી પ્રવાસીઓ પણ અહીં વિશેષ મુલાકાત લેશે.
માતાનામઢ કોરિડોર પ્રોજેક્ટ પ્રાચીન ચાચર કુંડ, ખટલા ભવાની મંદિરનું કાયાકલ્પ કરાશે
માતાનામઢ પણ અંબાજી તેમજ પાવાગઢ યાત્રાધામની જેમ વિકાસ થશે જેથી અહીં આવતા માઇ ભક્તોને માતાજીના દર્શનાર્થીઇલોને સુવિધા મળશે. સાથે માતાના મઢના અન્ય એક સ્થાનિક મુસ્લિમ આગેવાને જણાવ્યુકે માં આશાપુરા નહીં માત્ર હિન્દૂ સમાજ પણ મુસ્લિમ સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે.માતાનામઢ મંદિરના પ્રવેશદ્વારથી લઈને આસપાસની અનેક વસ્તુઓનું નવીનીકરણ કરવામાં આવશે.માતાનામઢ કોરિડોર પ્રોજેક્ટ પ્રાચીન ચાચર કુંડ, ખટલા ભવાની મંદિર, તેમજ મુખ્ય મંદિર પરિસરનું કાયાકલ્પ કરવામાં આવશે, તો મંદિરને ફરતે દર્શનાર્થીઓને પ્રદક્ષિણા કરવા પણ ખાસ માર્ગ બનાવવામાં આવશે.ચાચર કુંડ પર પણ ખાસ ફુવારા અને લાઈટો વડે સજાવી તેને આકર્ષિત બનાવવામાં આવશે. તો મંદિર પાસે આવેલા રૂપરાઈ તળાવને પણ વિકસાવી તેમાં પ્રવાસીઓ માટે બોટીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા