બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mansukh Vasava's Big Statement on UCC-Population Control
Malay
Last Updated: 11:40 AM, 17 July 2023
ભારત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ગત જૂન મહિનાથી 22મા લો કમિશને ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોર્ડ પર પરામર્શની પ્રક્રિયા શરૂ કરી છે. જે બાદ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઇને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર ક્યારેય આદિવાસીનું અહિક નહીં કરેઃ મનસુખ વસાવા
UCC મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આપણી પાસે ડ્રાફ્ટ ન આવે ત્યાં સુધી કોઈ મંતવ્ય આપણાથી ન આપી શકાય. મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો વિશ્વાસ છે કે આ સરકાર ક્યારેય આદિવાસી, દલિત સમાજ અથવા બક્ષીપંચ સમાજનું અહિત કરવાની નથી. આ સરકાર આ સમાજ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે UCCમાં રિઝર્વેશન કે આદિવાસીને નુકસાન થાય તેવી બાબતો કોઈ એમાં લેવાની નથી.
હજુય UCCનો ડ્રાફ્ટ બની રહ્યો છેઃ મનસુખ વસાવા
તેમણે જણાવ્યું કે, આ ટીમમાં અર્જુન મેઘવાલ, સ્મૃતિ ઈરાની, કિરણ રિજ્જુ જેવા પાંચ મંત્રીઓ જે SC, ST, OBC સમાજના મંત્રીઓ છે. તેઓ ક્યારેય આદિવાસી સમાજ અને દલિત સમાજનું અહિત કરવાના નથી. એટલે જ્યાં સુધી ડ્રાફ્ટ ન આવે ત્યાં સુધી એવું ન કહી શકાય કે રિઝર્વેશનને નુકસાન થવાનું છે, આદિવાસી અને દલિતોના અધિકારીઓ સમાપ્ત થઈ જશે. આ ઉતાવળી વાત છે. ડ્રાફ્ટ આપણા હાથમાં આવ્યા પછી જ કહી શકાય, ત્યારે જ તેમને વિરોધ કરવો જોઈએ.
UCCનો વિરોધ કરનારા ઉતાવળ કરી રહ્યા છેઃ મનસુખ વસાવા
તેમણે જણાવ્યું કે, હમણાથી કેટલાક મિત્રો વિરોધ કરે છે, સ્વાભાવિક છે કે તેમને સમાજ માટે લાગણી છે અને તેમને કેટલીક માહિતી મળી છે તે ખોટી પણ હોઈ શકે. મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી આદિવાસી કે દલિત સમાજ સાથે ક્યારેય અહિત નથી કરવાના. તેમણે જણાવ્યું કે, UCCથી અનામતને કોઈ અસર નહીં થાય. એક પત્ની અને બે બાળકોનો નિયમ જરુરથી આવશે. બે બાળકોનો કાયદો બધાને લાગુ પડવો જોઈએ. આ કાયદામાં બધાને આવરી લેવા જોઈએ.
UCC માટે હજી સરકાર કામ કરી રહી છે: મનસુખ વસાવા
આ પહેલા પણ તેઓએ આ અંગે નિવેદન આપ્યું હતું. વડોદરા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ UCC મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh