બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 11:42 AM, 18 April 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ગુજરાત પર વધુ ફોકસ છે. સરકારને બાનમાં લેવા માટે એક પણ મોકો આમ આદમી છોડવા માગતી નથી તેમ લાગી રહ્યુ છે. ત્યારે ગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને લઇને ટ્વિટર વૉર હજી પણ યથાવત છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નિહાળવા દિલ્હીના શિક્ષણમંત્રીએ ભાવનગરની શાળાઓની મુલાકાત લીધી હતી. જીતુ વાઘઆણીના મત વિસ્તારની શાળાઓમાં જઇને પરિસ્થતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે હવે પીએમ મોદી ગુજરાતના પ્રવાસને લઇને મનીષ સિસોદિયાએ શિક્ષણ વ્યવસ્થા અંગે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયુ છે.
प्रधानमंत्री जी! विद्या समीक्षा केंद्र के मॉडर्न सेंटर से शायद इन स्कूलों की तस्वीर आपको न दिखें जहां बैठने के लिए डेस्क नहीं है, मकड़ी के जाले ऐसे लगे हैं जैसे बंद कबाड़ख़ानों में होते हैं, टॉयलट टूटे पड़े हैं… मैंने खुद गुजरात के शिक्षामंत्री के क्षेत्र में ऐसे स्कूल देखे हैं https://t.co/sEiCJvFsRw pic.twitter.com/YjRYVAjjqT
— Manish Sisodia (@msisodia) April 18, 2022
શિક્ષણ વ્યવસ્થા અંગે સિસોદિયાએ કર્યો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે છે.. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરતા જાણકારી આપી હતી કે તેઓ પહોંચીને હું વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. પીએમ મોદીના આ ટ્વિટને લઇને મનીષ સિસોદિયાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઇને કટાક્ષ કર્યો છે. તેઓએ ભાવનગરની સરકારી શાળાઓની બિસ્માર સ્થિતિના ફોટો શેર કરતા જણાવ્યું કે વિદ્યા સમીક્ષા સેન્ટરમાં કદાચ આ શાળાઓના ફોટો જોવા નહીં મળે. અહીં બાળકોને બેસવા માટે ડેસ્ક નથી, શૌચાલય પણ તુટેલી હાલતમાં છે.
પીએમ મોદીએ કર્યુ હતું આ ટ્વિટ
મહત્વનું છે કે પીએમ મોદીએ 17 એપ્રિલે સાંજે એક ટ્વિટ કર્યુ હતું. તેમા તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આવતીકાલે હું ગુજરાત પહોંચીને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈશ. આ આધુનિક કેન્દ્ર શીખવાના પરિણામોને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ડેટા અને ટેકનોલોજીનો લાભ ઉઠાવે છે. હું એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત કરીશ. પીએમ મોદીના આ ટ્વિટને લઇને દિલ્હીના શિક્ષણમંત્રીએ ભાવનગરની સરકારી શાળાઓની સ્થતિ અંગે ફોટા શેર કરીને કટાક્ષ કર્યો હતો.
Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.
— Narendra Modi (@narendramodi) April 17, 2022
11 એપ્રિલે મનીષ સિસોદિયા આવ્યા હતા ગુજરાત
મહત્વનું છે કે 11 એપ્રિલે દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાત આવ્યા હતા. મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં શાળાઓની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. શાળામાં શિક્ષણ અને વ્યવસ્થા અંગે તેઓએ પ્રહાર કર્યા હતા. જે બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે શાળામાં ટીચર્સ નથી, શિક્ષકને 1 મહિનાના પગાર પર રાખે છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh