બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 04:04 PM, 29 July 2023
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ધર્મેન્દ્ર શુક્લા નામના એક શખ્સને આરટીઆઈ અરજીના જવાબમાં 40,000 પાનાનો જવાબ મળતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતા. હકીકતમાં શુક્લાએ કોરોના સંબંધિત એક માહિતી મેળવવા આરટીઆઈ અરજી કરી હતી જેના જવાબમાં તેમને 40,000 પાનાનો જવાબ મળ્યો હતો. આ જોઈને તેઓ ચોંકી ઉઠ્યાં હતા. સામાન્ય રીતે કોઈ વાતનો જવાબ આપવો હોય કે એક બે વધારેમાં વધારે બે કાગળિયા ઘણા કહેવાય પરંતુ અહીં તો એક-બે કે દશ નહીં પરંતુ 40,000 પાનાનો જવાબ મળ્યો હતો જે કોઈને પણ નવાઈ કરી મૂકે તેમ છે.
40,000 પાનાના પૈસા ન લવાયા
સામાન્ય રીતે આરટીઆઈ અરજી કરનાર જેટલા પેજમાં જવાબ અપાયો હોય તેટલા પેજના પાના દીઠ બે રુપિયા ચુકવવા પડે છે પરંતુ શુક્લાને કોઈ પૈસા ચુકવવા પડ્યાં નહોતા કારણ કે તેમની અરજીનો નિકાલ એક મહિનાની અંદર આવ્યો નહોતો. શુક્લાએ આજે જણાવ્યું હતું કે, "મેં ઈન્દોરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (સીએમએચઓ) સમક્ષ એક આરટીઆઈ અરજી રજૂ કરી હતી, જેમાં કોવિડ -19 રોગચાળાના સમયગાળા દરમિયાન દવાઓ, ઉપકરણો અને આનુષંગિક સામગ્રીની ખરીદી સાથે સંકળાયેલા ટેન્ડરો અને બિલ ચુકવણીની વિગતો માંગવામાં આવી હતી. એક મહિનામાં માહિતી પૂરી ન પડાતાં તેમણએ પ્રથમ અપીલ અધિકારી ડો.શરદ ગુપ્તાનો સંપર્ક સાધ્યો હતો, જેમણે આ અરજી સ્વીકારી હતી અને તેમને આ માહિતી વિનામૂલ્યે આપવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો.
આખી ગાડી ભરાઈ જાય તેટલા કાગળિયા મળ્યાં
શુક્લાએ કહ્યું કે દસ્તાવેજો પાછા લાવવા માટે હું મારી એસયુવી લઈ ગયો અને આખું વાહન ભરાઈ ગયું. માત્ર ડ્રાઇવરની સીટ જ મુક્ત રહી હતી.
આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અપીલ અધિકારી અને પ્રાદેશિક સંયુક્ત નિયામક ડો.શરદ ગુપ્તાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ માહિતી વિનામૂલ્યે આપવાનો આદેશ આપ્યો છે.
સરકારને થયું 80,000નું નુકશાન
ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે સીએમએચઓને તે કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો કે જેમના કારણે સરકારી તિજોરીને રૂ. 80,000નું નુકસાન થયું હતું કારણ કે માહિતી સમયસર આપવામાં આવી ન હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh