બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kavan
Last Updated: 02:51 PM, 19 March 2021
આ વાતચીત બાદ અનિલ દેશમુખે મનસુખ હિરેનના મોત મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો અને કહ્યું હતું કે, માન્યુ કે તેમની હત્યા કરવામાં આવી છે. જો કે, આ સમાચાર વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે, શરદ પવાર અનિલ દેશમુખના કામકાજથી નારાજ છે અને મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજ્ય સરકાર કરી રહેલ તપાસમાં મદદ : દેશમુખ
અનિલ દેશમુખે કહ્યું કે, એન્ટિલિયા નજીકથી મળેલ વિસ્ફોટક ભરેલ વાહન અને મનસુખ હિરેનની હત્યા કેસની એનઆઇએ અને એટીએસ ગંભીર રીતે તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર તપાસ માટે એનઆઇએને મદદ કરી રહી છે.
નારાજ થયેલી શરદ પવાર ગૃહમંત્રી બદલશે ?
NCP સુપ્રીમો શરદ પવાર અને ગૃહમંત્રી અનિલ દેશમુખ વચ્ચે આશરે દોઢ કલાક બેઠક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠક દરમિયાન શરદ પવારે અનિલ દેશમુખનું રિપોર્ટકાર્ડ પણ જોયું હતું અને અનિલ દેશમુખના પરફોર્મન્સથી નારાજ થયાં હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી બદલાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મુંબઇના પોલીસ કમિશનરને હટાવાયા
અગાઉ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંઘની બદલી થઈ હતી અને તેમની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પરમબીર સિંહની અચાનક બદલીને એન્ટિલિયા કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે. પરબીરસિંહને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે અને ડીજી હોમગાર્ડ બનાવવામાં આવ્યા છે.
સચિન મનસુખના સતત સંપર્કમાં હતા
સચિન વાઝેના સીડીઆરથી ખુલાસો થયો છે કે એનઆઈએ અને એટીએસ સમાંતર વિસ્ફોટક હુમલાની તપાસ કરી રહ્યા હતા, ત્યારે સચિન વઝે મનસુખ સાથે સતત સંપર્કમાં હતા. સીડીઆરએ બતાવ્યું કે 3 અને 4 માર્ચે, એટલે કે મનસુખના ગુમ થયાની તારીખના એક દિવસ પહેલાથી તેઓ મનસુખના સતત સંપર્કમાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ