બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan Kshatriya society anger against Parshotam Rupala is still visible

મહામંથન / રૂપાલા સાથે વ્યક્તિગત લડાઇ સમાજ સુધી કેમ પહોંચી? ક્ષત્રિય સમાજ ક્ષમા કરવા કેમ નથી ઇચ્છતો?

Dinesh

Last Updated: 04:16 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. પરશોતમ રૂપાલાના નિવેદન સામે વિવિધ સમાજના અલગ-અલગ મત છે

કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા પરશોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. પાટીદાર સમાજ રૂપાલાનું સમર્થન ખુલ્લેઆમ કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું ચોક્કસ કહે છે કે પરશોતમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેની તરફેણ કરવી એ લોકશાહી પ્રણાલિકામાં અમારો પણ અધિકાર છે. સમર્થન અને વિરોધના દોરની વચ્ચે પરશોતમ રૂપાલા પણ દિલ્લી દરબારમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપીને પાછા આવી ગયા છે અને એમ જ કહી રહ્યા છે કે પોતાના તરફથી આ વિષય હવે પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજે નક્કી કરવાનું છે. જો આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો અને છે તો પછી તેમા સમાજે દાખલ થવાની જરૂર શા માટે પડી, જે વિવાદ છે તેનું સંવાદથી સમાધાન શા માટે ન આવી શકે

રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ

પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. પરશોતમ રૂપાલાના નિવેદન સામે વિવિધ સમાજના અલગ-અલગ મત છે. અલગ પ્રકારનું રાજકીય ચિત્ર ઉભું થઈ રહ્યું છે. વ્યક્તિગત લડાઈ સમાજ સુધી કેમ આવી તે મહત્વનો સવાલ? સામાજિક સમરસતાની પહેલ કેમ નહીં? વિવાદનું સમાધાન સંવાદથી થાય તે અત્યંત જરૂરી છે.

પરશોતમ રૂપાલાએ શું કહ્યું?

તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ અંગેનો વિષય પક્ષના આગેવાનો ચલાવી રહ્યા છે. પક્ષ અને સમાજ વચ્ચે સંવાદની પ્રક્રિયા થઈ રહી છે. અમને તમામ સમાજનું સમર્થન છે. ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ મને સમર્થન જાહેર કર્યું છે. હું નામ બોલીને આગમાં ઘી હોમવા માગતો નથી. મેં મીડિયા અને સમાજ સામે મારા વિચાર વ્યક્ત કરી દીધા છે

ઘટનાક્રમમાં નવું શું છે?

રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવી વિસ્તાર છે. પાટીદાર અગ્રણીઓએ પરશોતમ રૂપાલાને સમર્થન જાહેર કર્યુ અને પાટીદાર અગ્રણીઓ એમ પણ કહે છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું સંમેલન મળી શકે છે.  સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી પોસ્ટ મુકાઈ છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં વીડિયો મુકાયા છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં અંબરીષ ડેર પણ આવ્યા છે. અંબરીષ ડેર પરશોતમ રૂપાલાના સમર્થનમાં સ્નેહસંવાદ કાર્યક્રમ યોજશે. ભાજપના મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સમર્થન કર્યું છે. જ્યોતિ ટીલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા છે. 

વાંચવા જેવું: રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં

ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત

પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમ્યો નથી. રૂપાલાની ટિકિટ રદ થયા તેની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના વિવિધ કાર્યક્રમો થશેની વાત કરાઈ. ક્ષત્રિય સમાજના વિરોધને માલધારી સમાજનું પણ સમર્થન મળ્યું છે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન છે. નાડોદા, કારડિયા, કાઠી સમાજે પણ ટેકો જાહેર કર્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ