બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan Kshatriya society anger against Parshotam Rupala is still visible
Dinesh
Last Updated: 04:16 PM, 5 April 2024
કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા પરશોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. પાટીદાર સમાજ રૂપાલાનું સમર્થન ખુલ્લેઆમ કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું ચોક્કસ કહે છે કે પરશોતમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેની તરફેણ કરવી એ લોકશાહી પ્રણાલિકામાં અમારો પણ અધિકાર છે. સમર્થન અને વિરોધના દોરની વચ્ચે પરશોતમ રૂપાલા પણ દિલ્લી દરબારમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપીને પાછા આવી ગયા છે અને એમ જ કહી રહ્યા છે કે પોતાના તરફથી આ વિષય હવે પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજે નક્કી કરવાનું છે. જો આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો અને છે તો પછી તેમા સમાજે દાખલ થવાની જરૂર શા માટે પડી, જે વિવાદ છે તેનું સંવાદથી સમાધાન શા માટે ન આવી શકે
#Debate #Mahamanthan "વ્યક્તિગત લડાઈ સમાજ સુધી કેમ પહોંચી?" | VTV Gujarati#mahamanthan #ParshottamRupala #RajputSamaj #KshatriyaSamaj #VTVGujarati https://t.co/E83OjjoVKI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 4, 2024
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. પરશોતમ રૂપાલાના નિવેદન સામે વિવિધ સમાજના અલગ-અલગ મત છે. અલગ પ્રકારનું રાજકીય ચિત્ર ઉભું થઈ રહ્યું છે. વ્યક્તિગત લડાઈ સમાજ સુધી કેમ આવી તે મહત્વનો સવાલ? સામાજિક સમરસતાની પહેલ કેમ નહીં? વિવાદનું સમાધાન સંવાદથી થાય તે અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ અંગેનો વિષય પક્ષના આગેવાનો ચલાવી રહ્યા છે. પક્ષ અને સમાજ વચ્ચે સંવાદની પ્રક્રિયા થઈ રહી છે. અમને તમામ સમાજનું સમર્થન છે. ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ મને સમર્થન જાહેર કર્યું છે. હું નામ બોલીને આગમાં ઘી હોમવા માગતો નથી. મેં મીડિયા અને સમાજ સામે મારા વિચાર વ્યક્ત કરી દીધા છે
રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવી વિસ્તાર છે. પાટીદાર અગ્રણીઓએ પરશોતમ રૂપાલાને સમર્થન જાહેર કર્યુ અને પાટીદાર અગ્રણીઓ એમ પણ કહે છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું સંમેલન મળી શકે છે. સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી પોસ્ટ મુકાઈ છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં વીડિયો મુકાયા છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં અંબરીષ ડેર પણ આવ્યા છે. અંબરીષ ડેર પરશોતમ રૂપાલાના સમર્થનમાં સ્નેહસંવાદ કાર્યક્રમ યોજશે. ભાજપના મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સમર્થન કર્યું છે. જ્યોતિ ટીલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા છે.
વાંચવા જેવું: રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમ્યો નથી. રૂપાલાની ટિકિટ રદ થયા તેની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના વિવિધ કાર્યક્રમો થશેની વાત કરાઈ. ક્ષત્રિય સમાજના વિરોધને માલધારી સમાજનું પણ સમર્થન મળ્યું છે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન છે. નાડોદા, કારડિયા, કાઠી સમાજે પણ ટેકો જાહેર કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP