બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 11:11 PM, 7 March 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી વાયવાડથી લડી શકે છે. કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંન્ને સિટ પર ચૂંટણી લડી હતી. ત્યારે સ્મૃતિ ઈરાનીએ સૌથી મોટો ખેલ ખેલી લીધો હતો આ બેઠક પરથી જીત મેળવી હતી. કોંગ્રેસની પરંપરાગત બેઠક કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો હતો
રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે !
આ વખતે પહેલાથી ચર્ચા થઈ રહી છે કે, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. આ જ કડીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીએ આ દીશામાં પ્રસ્તાવ રાખ્યો છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ વાયનાડથી જ ચૂંટણી લડવી જોઈએ. ગત વખતે પણ વાયનાડના લોકોએ કોંગ્રેસ નેતાને મોટી સંખ્યામાં વોટ આપ્યા હતા અને તેમને મોટી જીત અપાવી હતી. જે સ્થિતિમાં રાહુલ માટે સુરક્ષિત બેઠક તરીકે જોવામાં આવી રહી છે.
પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે ?
હવે ભાજપ નિશ્ચિતપણે તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે. સ્મૃતિ ઈરાનીએ થોડા દિવસો પહેલા રાહુલને ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે અમેઠીથી જ ચૂંટણી લડવી જોઈએ. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે રાહુલ દક્ષિણ ભારતના વાયનાડથી ફરી ચૂંટણી લડવાના છે. જો કે સમાચારમાં એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને પણ દક્ષિણ ભારતની કેટલીક બેઠકો પરથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી શકે છે.
વાંચવા જેવું: 'આગામી 10 વર્ષ સુધી મોદી...', લોકસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન
જ્ઞાતિ સમીકરણ શું છે ?
વાયનાડ સીટની વાત કરીએ તો અહીં લગભગ 50 ટકા હિંદુ અને 28.65 ટકા મુસ્લિમ વસ્તી છે. કેરળમાં નિર્ણાયક મત ગણાતા ખ્રિસ્તીઓ પણ વાયનાડમાં લગભગ 21 ટકા છે. અહીંના જ્ઞાતિ સમીકરણ પણ રાહુલની રાજનીતિને અત્યારે અનુકૂળ આવે છે અને કોંગ્રેસ તેને સુરક્ષિત બેઠક માને છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh