બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / home minister amit shah said modi will remain prime minister for the next 10 years ucc will be implemented before lok sabha elections
Dinesh
Last Updated: 10:34 PM, 7 March 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, ભાજપ સરકાર સારા કામોના કારણે છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દસ વર્ષ સુધી દેશના પીએમ રહેશે તેવો દાવો પણ કર્યો હતો. તેમને આગમી 10 વર્ષના રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે, હાલમાં દેશની લોકશાહી ખૂબ જ ઉર્જાવાન અને તાકાતવાર છે. દેશની જનતા સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરે છે ત્યારબાદ જનાદેશ આપે છે
'આગામી 10 વર્ષ સુધી પીએમ મોદી જ દેશના વડાપ્રધાન રહેશે'
અમિત શાહે કહ્યું કે, પહેલા પ્રજાનો મિજાજ અને જનાદેશ જાતિ, સંપ્રદાય, ધર્મ અને લઘુમતી તુષ્ટિકરણના આધારે થતો હતો. જ્યારે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ પ્રદર્શન આધારિત રાજકારણનો નવો ચીલો સ્થાપિત કર્યો છે. હવે જનતા સત્તામાં રહેલા કોઈપણ પક્ષને ત્યારે જ તક આપે છે જ્યારે તે સારું કામ કરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમે સારું કામ કર્યું છે, અમે સત્તામાં રહીશું. જો આપણે આપણી ખામીઓ અને કમીઓ દૂર નહીં કરીએ તો આપણે જીતીશું નહીં. હું તમને આગામી 10 વર્ષ વિશે કહી શકું છું કે, પીએમ મોદી દેશના વડાપ્રધાન રહેશે
અમિત શાહના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું હતું કે, કેટલાક લોકો ફાલતું વાતો કરીને દેશમાં રાજનીતિનું સ્તર નીચું કરવા માંગે છે. દર વખતે આવું કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપે છે. હું પીએમ મોદીને ખૂબ નજીકથી ઓળખું છું, લાંબા સમયથી તેમની સાથે કામ કરું છું. તેમણે કહ્યું કે, એક અંદાજમાં લાલુ પ્રસાદ યાદવે સાચું કહ્યું કે, પીએમ મોદીનો પરિવાર નથી. કારણ કે, જે લોકોના પરિવારો છે તેઓ તેમના પુત્ર-પુત્રીઓને વડાપ્રધાન અને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરતા રહે છે.
'40 વર્ષથી દેશના લોકોની સેવા કરી રહ્યાં છે'
અમિત શાહએ કહ્યું કે, પ્રધાનંત્રીએ 40 વર્ષથી દેશના લોકોની સેવા કરી રહ્યાં છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ક્યારેક મુખ્યમંત્રી તો અત્યારે વડાપ્રધાન પદ પર છે. અમે ક્યારે તેમણે રજા લેતા નહી જોયા. મેં વડાપ્રધાન મોદીને સવારે પાંચ વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યા સુધી સતત કામ કરતા જોયા છે. આ જ કારણ છે તેમની પાછળ એટલા લોકો જોડાવાનું, સાથો સાથ પ્રધાનમંત્રી પર ક્યારેય ભ્રષ્ટ્રાચારનો આરોપ નહી લાગ્યો
વાંચવા જેવું: BIG BREAKING : સરકારી કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો, ટોટલ 50 ટકા, મોદી સરકારનો મોટો નિર્ણય
'દેશનો કાયદો છે, તેને કોઈ રોકી શકે તેમ નથી'
અમિત શાહે કહ્યું હતું કે, નાગરિકતા સુધારો કાયદો (CAA) લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે CAA ડિસેમ્બર 2019માં લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આ દેશનો કાયદો છે, તેને કોઈ રોકી શકે તેમ નથી. આ પથ્થર લકીર સમજો, આ જ વાસ્તવિકતા છે. શાહે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા એ માત્ર ભાજપનો એજન્ડા નથી, પરંતુ તે બંધારણ સભાનું વિઝન પણ છે. બંધારણની કલમ 44માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh