બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / Live election result nationalism narendra modi
vtvAdmin
Last Updated: 04:22 PM, 23 May 2019
ઉલ્લેખનીય છે કે, NDA સરકાર બહુમત મેળવી સરકાર રચી રહી છે ત્યારે તેમાં રાષ્ટ્રવાદનો મુદ્દાનો સિંહ ફાળો રહેલો છે. જ્યારથી પુલવામામાં સીઆરપીએફ જવાન પર હુમલાની દુર્ઘટના બની ત્યારથી જ ભાજપે દેશભરમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને રાષ્ટ્રવાદની રીતસરની લહેર ઊભી કરી દીધી હતી.
ADVERTISEMENT
પુલવામાં ઘટનાનો મોદીએ જ્યારે સર્જીકલ સ્ટ્રાઈક રૂપી બદલો લીધો ત્યારે દેશભરમાં મોદી હીરો બની ગયા. લોકોને થઈ ગયું કે મોદી જેવા દેશભક્ત બીજા કોઈ ન હોઈ શકે.
ADVERTISEMENT
તો પુલવામાની ઘટનાને લઈને નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને એવો તો સબક શીખવ્યો કે તેને દાણા-પાણી માટે ટળવળતુ કરી દીધું. પાકિસ્તાનને પરાસ્ત કરવાની મોદીની આ સ્ટાઈલ ભારતીયોને એવી તો પસંદ પડી કે ખોબલે ખોબલે મોદીની ઝોળીમાં મત નાખી દીધાં.
એકબાજુ મોદીનો ભભકતો રાષ્ટ્રવાદ ચર્ચાતો હતો. તો બીજી બાજું કોંગ્રેસની દેશભક્તિ વગોવાતી હતી. રોજબરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો બફાટ ભાજપને વધુને વધુ મજબુત કરી રહ્યો હતો. આમ, રાષ્ટ્રવાદનો મુદ્દો ભાજપને જવલંત જીત અપાવી ગયો તેમ કહીએ તો કંઈ ખોટું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.