બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Lata Mangeshkar know unknown and rare facts about nightingale of india

Lata Mangeshkar Death Anniversary / લતા મંગેશકરની આજે પુણ્યતિથિ: તેઓએ કેમ લગ્ન ન હોતા કર્યા? પાછળ રહેલી છે અધૂરી પ્રેમકહાની

Megha

Last Updated: 07:19 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મહાન સિંગર લતા મંગેશકરજીની પુણ્યતિથિ છે, ત્યારે જાણો તેમના વિશેની એવી અજાણી વાતો જે ભાગ્યે જ ક્યાંક પબ્લિશ થયેલી છે. જેમ કે, લતા મંગેશકરના લગ્ન ન કરવા પાછળ તેમની અધૂરી પ્રેમકહાની કારણભૂત હતી.

  • લતાજીનું સાચું નામ લતા નહોતું.
  • લતાજીને અપાયું હતું સ્લો પોઈઝન
  • ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે રાખ્યો હતો ઉપવાસ 

બોલીવુડમાં પોતાના 70 વર્ષના કાર્યકાળ દરમિયાન જબરજસ્ત ગીતો ગાઈને, અભૂતપૂર્વ પ્રદાન કરીને Lata Mangeshkarએ ભારતીય સંગીતને જ બદલી નાખ્યું છે. લતાજીએ પહેલીવાર ગીત 5 વર્ષની ઉંમરે ગાયું હતું, ત્યાંથી લઈને ભારતની બુલબુલ બનવા સુધીની સફરની અનેક પેઢીઓ સાક્ષી છે. લગ જા ગલે, અજીબ દાસ્તાન હૈ યે, તેરે બિના ઝિંદગી મેં જેવા તેમના ગીતો આજે પણ આપણે ગણગણીએ છીએ. આજે આ લેજન્ડરી સિંગર લતાજીની પુણ્યતિથિ છે, ત્યારે તેમના વિશેની એવી અજાણી વાતો અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જે તમે આજ સુધી ક્યાંય નહીં વાંચી હોય. 

જ્યારે લતાજીને ઝેર આપવામાં આવ્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ લતા મંગેશકરની હત્યાની કોશિશ થઈ હતી. તેમને ભોજનમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. જેને કારણે લતાજી 3 મહિના સુધી બેડ રેસ્ટ પર રહ્યા હતા અને ગાઈ નહોતા શક્યા.

લતા મંગેશકરનું સાચું નામ ‘લતા’ નહોતું.
28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ લતા નહોતું. તેઓ જન્મ્યા ત્યારે પરિવાર દ્વારા તેમનું નામ હેમા રખવામાં આવ્યું હતું. પરંતુ તેમના પિતાના સફલ નાટક ભાવ બંધનના તે સમયે ખૂબ જાણીતા પાત્ર લતિકા પરથી તેમનું નામ બદલીને લતા કરી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરના પિતા દિનાનાથ મંગેશકર થિયેટર એક્ટર અને ક્લાસિકલ સિંગર હતા. લતાજીએ તેમની પાસે જ 5 વર્ષની ઉંમરે તાલીમ લેવાની શરૂઆત કરી હતી. 

ક્યારેય નહોતા સાંભળતા પોતાના ગીતો
આપણે સૌ અને આખું વિશ્વ લતા મંગેશકરજીના ગીતો સાંભળીને ખુશ થઈએ છીએ, પરંતુ તેમણે ક્યારેય પોતાના ગીતો રેકોર્ડ કર્યા બાદ સાંભળ્યા નહોતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ પોતાના ગીતો સાંભળશે, તો તેમને તેમાં સો ભૂલો દેખાશે. 

બોલીવુડમાં રોયલ્ટી અને વધુ પેમેન્ટ માગનાર પહેલા મહિલા સિંગર
લતા મંગેશકર પહેલા એવા મહિલા સિંગર હતા, જેમણે પ્રોડ્યુસર્સ પાસેથી પોતે ગાયેલા ગીતોની રોયલ્ટી અને વધુ પેમેન્ટની માગ કરી હતી. લતા મંગેશકરજીએ પોતાના જીવનમાં 50 હજારથી વધુ ગીતો ગાયા છે, અને આ બધા જ ગીતો 14 જુદી જુદી ભાષાઓમાં તેમણે રેકોર્ડ કર્યા છે. 1974માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા બદલ તેમનું નામ નોંધવામાં આવ્યું હતું. લતાજીને પદ્મ ભૂષણ, પદ્મ વિભુષણ, દાદા સાહેબ ફાળકે સહિત પોતાના યોગદાન માટે સંખ્યાબંધ નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ પણ મળ્યા છે. 

લતાજીને ખૂબ ગમતું ક્રિકેટ
લતા મંગેશકરને મ્યુઝિકની સાથે સાથે ક્રિકેટ મેચ જોવી ખૂબ જ ગમતી હતી. 2011ના વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની જીત માટે તેમણે ઉપવાસ પણ કર્યો હતો. લતાજીને ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર સાથે પણ ખૂબ સારા સંબંધ હતા. સચિન તેમને આઈ (મરાઠીમાં માતા) કહીને સંબોધતા હતા.  1983માં વર્લ્ડકપ જીતનાર ક્રિકેટ ટીમને ઈનામ આપવા માટેનું ફંડ ભેગું કરવામાં પણ લતાજીએ મદદ કરી હતી.

રાજકારણનો પણ બની ચૂક્યા છે ભાગ
લતા મંગેશકર 1999થી 2006ની વચ્ચે રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. જો કે, ખરાબ તબિયતને કારણે રાજ્યસભામાં ન આવવા બદલ તેમની ટીકા પણ થઈ હતી. પરંતુ સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 1 રૂપિયો પણ પગાર નહોતો લીધો.

લતા મંગેશકરને પણ થયો હતો પ્રેમ
આપણે સૌ જાણીએ છીએ કે મધુર અવાજ ધરાવતા લતા મંગેશકરે ક્યારેય લગ્ન નથી કર્યા. પરંતુ તેની પાછળ તેમની અધરી લવ સ્ટોરી જવાબદાર છે.લતા મંગેશકર તે સમયે BCCIના પ્રેસિડેન્ટ રહેલા ડુંગરપુરના મહારાજા રાજસિંહના પ્રેમમાં હતા. પરંતુ લતાજી પોતે રોયલ પરિવારના  હોવાને કારણે, રાજસિંહના પરિવારે આ લગ્ન ન થવા દીધા. રાજસિંહ લતા મંગેશકરને મીઠ્ઠુ નામે બોલાવતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ