બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / krishna janmashtami 2023 date time and shubh muhurat of krishna janmashtami 2023 know the significance of krishna janmashtami
Kishor
Last Updated: 04:35 PM, 2 September 2023
કાન્હાના જન્મોત્સવ અને હિન્દુ ધર્મના મહત્વના તહેવાર જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધરતી પર શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો. ત્યારે આ અવસરને ભક્તો દ્વારા જન્માષ્ટમીના તહેવાર તરીકે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનના બાળ રૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૃષ્ણ જન્મોત્સવ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ઉપવાસ અને પારણા કરવામાં આવે છે. સાથે જ ધાર્મિક ઉત્સવ ઉજવાય છે. આવું કરવાથી ભક્તોના દુઃખ ભગવાન દૂર કરે છે અને ભગવાનની કૃપા બની રહે છે. ત્યારે જન્મોત્સવ 2023 તારીખ અને શુભ મુહૂર્ત તથા તેના મહત્વ વિશે જાણીએ વિસ્તારથી!
કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?
વૈદિક કેલેન્ડર અનુસર આ વર્ષે જન્માષ્ટમી ચાલુ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના રોજ એટલે કે 6 સપ્ટેમ્બર, 2023 ના રોજ લગભગ 3:37 વાગ્યે શરૂ થશે. જે 7 સપ્ટેમ્બરે સાંજે 4:14 વાગ્યે સમાપ્ત થશે. વધુમાં 6 સપ્ટેમ્બરે સવારે 9:21 વાગ્યે રોહિણી નક્ષત્ર શરૂ થશે જે 7મીએ સવારે 10:25 વાગ્યે સમાપ્ત થશે. મહત્વનુ છે કે ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાથી આ વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જમોત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે વ્રત રાખવાથી રાખી ગોપાલની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે.
6 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માષ્ટમી ઉજવાશે ત્યારે ભગવાન કૃષ્ણની પૂજા માટેનો શુભ સમય બપોરે 11:47 થી 12:42 સુધી યોગ્ય રહેશે. આ વિશેષ યોગમાં જો વિધિ પ્રમાણે કાન્હાની પૂજા કરવામાં આવે તો તમને ધાર્યા ફળ મળે છે.
સનાતન ધર્મમાં જન્માષ્ટમીનું ખૂબ મહત્વ
સનાતન ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીના આઠમા અવતાર રૂપે શ્રીકૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો. આ શુભ અવસરે લાડુ અને શાલીગ્રામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. તેનો અભિષેક પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે અને ધાર્યા કામ પણ સફળ થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh