બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / Kohli, Tendulkar, Rohit Which cricketers have been invited to Ayodhya Ram Temple See the list
Megha
Last Updated: 02:12 PM, 21 January 2024
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ યોજાનાર છે, જેની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા ભારતીય ક્રિકેટરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર, ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ ક્રિકેટરોની સાથે વર્તમાન ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આમંત્રણ મળ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે, જ્યારે વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરને શનિવારે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહનું આમંત્રણ મેળવનાર તે પ્રથમ ક્રિકેટર હતા. તેના પછી એમએસ ધોની, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને હરમનપ્રીત કૌરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બીસીસીઆઈ પાસેથી મંજૂરી લઈ લીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સીરઝની તૈયારીમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેનો ટ્રેનિંગ કેમ્પ લગાવશે. કોહલી 21 જાન્યુઆરી, રવિવારના રોજ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા જશે.
વધુ વાંચો: VIDEO: ભારતીય ક્રિકેટર્સ સાથે ચાલુ મેચમાં બાંગ્લાદેશી ખેલાડીએ કર્યો દુર્વ્યવહાર, અમ્પાયર્સ પણ ગભરાયા
રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રિત ક્રિકેટરોના નામ
સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, હરભજન સિંહ, વેંકટેશ પ્રસાદ, અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મિતાલી રાજ, ગૌતમ ગંભીર અને હરમનપ્રીત કૌર.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh