બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Know this before traveling by helicopter joy ride or metro for the next 3 days, otherwise the wrong time will be spoiled.
Vishal Khamar
Last Updated: 09:44 AM, 12 January 2024
અમદાવાદવાસીઓ શનિ-રવિ રજાની મઝા માણી શકે તે માટે રિવરફ્રન્ટથી સાયન્સ સીટી સુધી હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગયા અઠવાડિયા દરમ્યાન મોટી દુર્ઘટનાં સર્જાતા રહી જવા પામી હતી. જેમાં ઉત્તરાયણનો તહેવાર નજીકમાં હોઈ લોકો પતંગ ચગાવતા હોય છે. ત્યારે ગયા સપ્તાહે હેલિકોપ્ટરનાં પાંખિયામાં પતંગની દોરી વીંટળાઈ જતા રાઈડ અઢી કલાક માટે બંધ કરવાનો વારો આવ્યો હતો.ત્યારે ઉત્તરાયણનાં તહેવારને ધ્યાને લઈ સાવચેતીનાં ભાગરૂપે શનિ-રવિવારે જોય રાઈડ સેવા બંધ રાખવામાંનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હેલિકોપ્ટરનાં પાંખિયામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી
જોય રાઈડ હેલિકોપ્ટરમાં 5 મુસાફરોને બેસાડી શકાય છે. ત્યારે હેલિકોપ્ટરે રિવરફ્રન્ટ ખાતેથી ઉડ્યાનાં થોડાક જ સમયમાં હેલિકોપ્ટનાં પાંખિયામાં પતંગની દોરી ફસાઈ જતા પાયલોટ દ્વારા હેલિકોપ્ટરને તાત્કાલિક રિવરફ્રન્ટ પર પરત લઈ જવાની ફરજ પડી હતી. જે બાદ એન્જીનીયરની ટીમે હેલિકોપ્ટરને ચેક કરતા પાંખિયામં પતંગરની દોરી ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પાંખિયામાંથી દોરી બહાર કાઢતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. શનિ-રવિ રજાને લઈ અમદાવાદીઓ માટે ખાસ જોય રાઈડ શરૂ કરવામાં આવી છે.
બે દિવસ મેટ્રો 20 મિનિટે મળશે
ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. આપને જણાવી દઈએ કે, 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ બે દિવસ માટે 20 મિનિટે મળશે.
મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરાઈ
તહેવારના દિવસે જાહેર રજા હોવાથી મુસાફરો મેટ્રોની મુસાફરી ઓછી કરતા હોય છે જેને લઈ મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી મેટ્રો દ્વારા અત્યારથી જ જાહેરાત કરી દેવાઈ છે જેના કારણે કોઈ મુસાફરને મુશ્કલી ન પડે. સાથો સાથ જણાવીએ કે, વસ્ત્રાલથી થલતેજ અને APMCથી મોટેરા રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેન દોડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh