બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / 'You live in Chhoti Kashi, but Sanskar is not in you', Nananda Naynaba lashed out at Rivaba without naming names.
Vishal Khamar
Last Updated: 08:30 AM, 12 January 2024
અયોધ્યા ખાતે રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જે બાબતે જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાકયુદ્ધ શરૂ થયું હતું.
રાજનીતિથી ઉપર ઉઠી રામના વધામણાં કરવા જોઈએ : રિવાબા જાડેજા
આ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. ત્યારે આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યક્તા.
મંદિર જયારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય-નયનાબા
ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાક્ય યુદ્ધ શરૂ થવા પામ્યું છે. જેમાં નયનાબાએ કોંગ્રેસને લઈ રાજનીતિ ન કરવાનું કહ્યું. તેમજ નયનાબાએ નામ લીધા વગર રિવાબાની ઝાટકણી કાઢી હતી. નયનાબાએ જણાવ્યું હતું કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશીમાં રહો છો, સંસ્કાર તમારામાં નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. રામ મંદિરને લઈને ફરી ભાભી નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું.
વધુ વાંચોઃ અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન, વિવિધ આંકડાઓ કરાશે જાહેર
કોંગ્રેસ દ્વારા આમંત્રણને અસ્વીકાર કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજર સહિત કોંગ્રેસનાં નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી નહી આપે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા