બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Kidnapping and murder of businessman's son on his way to college in Kutch, ultimatum given till 11

હત્યા / સવા કરોડ આપો નહીંતર...: કચ્છમાં કોલેજ જતાં બિઝનેસમેનના દીકરાનું કિડનેપિંગ બાદ હત્યા, 11 તારીખ સુધીનું આપ્યું હતું અલ્ટિમેટમ

Vishal Khamar

Last Updated: 05:20 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનાં ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનું અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા તેની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ ઘટનાની ગંભીરતાને લઈ કચ્છ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીઓનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.

  • કચ્છનાં ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનો અપહરણનો મામલો
  • અપહરણનાં 84 કલાક બાદ યશ તોમરની લાશ મળી આવી
  • પોલીસે આ સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ વેગવંતી કરી

ગાંધીધામનાં લાકડાનાં વેપારીનાં પુત્રનું ચાર દિવસ પહેલા અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા સવા કરોડ રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા. ત્યારે વેપારીને અપહરણકર્તાઓ દ્વારા 11 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉદ્યોગપતિ દ્વારા અપહરણકર્તાઓને ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હતી. ત્યારે અપહરણ થયાનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

પોલીસ દ્વારા લાશ બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ

અપહરણનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનું અપહરણકર્તાઓ દ્વારા અપહરણ કરી તેની કરપીણ હત્યા કર્યા બાદ લાશને દાટી દીધી હતી. ગાંધીધામ ડીસી-5 પાછળનાં ઝાડી વિસ્તારમાં મૃતક યશ તોમરની દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતો. ત્યારે આ મામલે કચ્છ પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી છે. લાકડાનાં વેપારી સંજીવકુમાર તોમરનાં પુત્રનું ચાર દિવસ પહેલા કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યું હતું. ત્યારે અપહરણનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવ્યો હતો. યશ ગાંધીધામ કોલેજ જઈ રહ્યો હતો તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ 11 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. 

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ છે
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે,  તા. 6.11.2023 નાં રોજ યશ તોમરના અપહરણ અને ખંડણીની એક ફરિયાદ અંજાર પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ અન્ગલથી તપાસ ચાલુ હતી.  તપાસ દરમ્યાન સ્નેપ ચેટમાં જે વીડિયો બન્યો હતો. તે જગ્યા મળતા પોલીસે તે જગ્યા આધારે તપાસ કરતા પોલીસને આ જગ્યા પર વાસ આવતા તેમજ યશનાં શુઝ મળી આવતા પોલીસ દ્વારા આ જગ્યાએ સઘન તપાસ હાથ ધરી હતી.  સઘન તપાસ દરમ્યાન પોલીસને કોઈ લાશ દાટેલી હોવાની માહિતી મળતા પોલીસે દ્વારા મામલતદારની હાજરીમાં ખોદકામ કરતા લાશ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવી છે. તેમજ લાશ ઉપરનાં કપડા, ઘડીયાળ તેમજ શુઝનાં જોતા જે અપહરણ થયેલ છે. યશ તેની લાશ હોવાનું હાલ જણાઈ આવે છે.  ત્યારે આ બાબતે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ છે.  ક્યાં કારણથી આ સમગ્ર બનાવ બન્યો તેની તપાસ હાલ ચાલુ છે.

તપાસ અધિકારી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ