બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Karnataka Govt's plan to impose tax on temples setback bill stuck in Legislative Council after BJP-JDS opposition
Pravin Joshi
Last Updated: 11:50 AM, 24 February 2024
કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ 'હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ' વિધાન પરિષદ દ્વારા પસાર થઈ શક્યું નથી. વિરોધ પક્ષો ભાજપ અને જેડીએસે આનો વિરોધ કર્યો હતો. વિપક્ષ પાસે વિધાન પરિષદમાં બહુમતી છે, તેથી વિપક્ષના કારણે આ બિલ વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. મંદિર બિલ ગયા અઠવાડિયે જ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને શુક્રવારે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું.
બિલમાં શું છે જોગવાઈઓ
બિલમાં એવી જોગવાઈ છે કે રાજ્યના મંદિરો જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની હોય છે તેના પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. જે મંદિરોની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેના પર 10 ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. મંદિરોની કમાણીમાંથી મળતું ભંડોળ એક સામાન્ય પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું સંચાલન રાજ્ય ધાર્મિક પરિષદ દ્વારા કરવામાં આવશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે આ ભંડોળનો ઉપયોગ રાજ્યના 'C' શ્રેણીના મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે કરવામાં આવશે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે.
વધુ વાંચો : દેશના આ રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ખતમ, કહ્યું 'હવે બાળ લગ્ન અટકશે'
વિપક્ષનો આરોપ
ભાજપ અને જેડીએસનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વિપક્ષના મતે સરકારે ઓછી કમાણી કરતા મંદિરના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગ ફંડની જોગવાઈ કરવી જોઈએ. કોંગ્રેસ સરકારનું કહેવું છે કે વર્ષ 2011માં ભાજપ સરકાર પણ આવું જ એક બિલ લાવી હતી, જેમાં મંદિરોની 5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ હતી. સરકારની દલીલ છે કે વર્તમાન બિલમાં ઓછો ટેક્સ લાદવામાં આવ્યો છે. વર્તમાન બિલમાં એવી જોગવાઈઓ પણ છે કે સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોની સમિતિના અધ્યક્ષ સરકાર નિયુક્ત કરશે. વિપક્ષે પણ આનો વિરોધ કર્યો હતો. વિપક્ષના વિરોધ પર સરકારના પ્રધાન રામલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે સરકાર મંદિર સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં દખલ નહીં કરે અને મંદિરોમાંથી એકત્ર કરાયેલા ટેક્સને ઘટાડવા પર પણ વિચાર કરશે. જોકે, વિપક્ષ આનાથી સંતુષ્ટ નહોતા અને બિલ પસાર થઈ શક્યું ન હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh